ત્રીજી લહેરના આવશે કે નહીં, આ સવાલ વચ્ચે મુંબઈથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અહિયાં 50 ટકા બાળકોમાં એન્ટિબોડી મળ્યા છે. આ વાતનો ખુલાસો શીરો સર્વેમાં BMCએ ચોથા રિપોર્ટમાં કહી છે.
બાળકોમાં એન્ટિબોડી મળી છે
10 થી 14 વર્ષના 53.43 % બાળકો સંક્રમણ થયા છે
બાળકોમાં પોઝિટીવીટી રેટ 51 ટકા
બાળકોમાં એન્ટિબોડી મળી છે
રિપોર્ટ અનુસાર જે બાળકોમાં એન્ટિબોડી મળી છે તે બાળકો ક્યારેકને ક્યારેક સંકર્મિત થયા છે. હવે પૂરતી એન્ટિબોડી બની જવાને કારણે બાળકોમાં કોરોનાનું સંક્રમણ ત્રીજી લહેરમાં ઘણું ઓછું થશે. આ સર્વે મુજબ 10 થી 14 વર્ષના 53.43 % બાળકો સંક્રમણ થયા છે. હવે BMC પાંચમો સિરો સર્વે કરવા જઈ રહી છે. આ સર્વે હવે 18 વર્ષથી ઉપરના બાળકો પર કરવામાં આવશે. આ સર્વે બધા 24 વોર્ડમાં કરવામાં આવી રહ્યો છે. જેમાં 4 હજાર લોકોના સેમ્પલ લેવામાં આવશે.
10 થી 14 વર્ષના 53.43 % બાળકો સંક્રમણ થયા છે
બાળકો અને વયસ્કોમાં સંક્રમણ દર લગભગ બરાબર રહ્યો છે. BMCના એક સીરો સર્વે સ્ટડીમાં આનો ખુલાસો થયો છે. એક થી વધુ વાર સીરો સર્વેમાં બાળકોને સામેલ કરવામાં આવ્યા છે. આ સર્વેના આધાર પર એમ્સના ડોક્ટરોનું કહેવું છે કે પરિણામ દર્શાવી રહ્યા છે કે બાળકોમાં પણ સંક્રમણ બહું વધારે છે અને જો ત્રીજી લહેર આવે છે તો તેમને વધારે ખતરો ન હોવો જોઈએ. જો વાયરસમાં બહું વધારે મ્યૂટેશન થાય છે તો અત્યારે ન ફક્ત બાળકો પણ મોટાઓમાં પણ એટલું જ સંકટ છે.
બાળકોમાં પોઝિટીવીટી રેટ 51 ટકા
આ સર્વેમાં કુલ 2,176 લોકોએ ભાગ લીધો હતો. જેમાં 50 ટકા બાળકોમાં એન્ટિબોડી મળી હતી. 51 ટકા બાળકોમાં પોઝિટીવીટી રેટ મળ્યો હતો. 10 થી 14 વર્ષની ઉંમરના સૌથી વધુ 53.43 ટકા બાળકો સંક્રમિત થયા છે. 1 થી 4 વર્ષના બાળકોમાં 51. 04 ટકા બાળકોમાં એન્ટિબોડી બની ગઈ છે. વૃદ્ધોમાં પોઝિટિવિટી રેટ 63.5 ટકા નોંધાયો છે અને બાળકોમાં આ 51 ટકા જોવા મળ્યો છે. સ્ટડી કરના એમ્સના કમ્યુનિટી મેડિસિનને ડોક્ટર પુનીત મિશ્રાએ કહ્યુ કે આ આંકડા જણાવે છે કે જેટલું મોટું સંક્રમણ જોવા મળશે તેટલું જ બાળકોમાં જોવા મળશે.