રિલેશનશીપ અને હેલ્થનો સંબંધ એકબીજા સાથે છે. તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે લગ્ન બાદ લોકો જાડા થઇ જાય છે. એક્સપર્ટ આ વાતને નકારી દે છે. તેમનું કહેવુ છે કે દરેક સંબંધ અને વ્યક્તિની પર્સનાલિટી અલગ અલગ હોય છે. સિંગલ રહેવાના ફાયદા અને નુકસાન છે.
સિંગલ રહેવાના ફાયદા
હેલ્થ સાયકોલોજી પ્રમાણે રિસર્ચ
હેલ્થને લઇને સજાગ રહો
વજન ઓછુ વધે છે
હેલ્થ સાયકોલોજી પ્રમાણે લગ્ન કરીને 4 વર્ષ સુધી કપલનું વજન વધે છે કારણકે લગ્ન બાદ હેલ્થ પર ધ્યાન નથી આપી શકતા અને એક બીજાના પ્રેમમાં હોય છે જેના કારણે તે બેદરકાર થઇ જાય છે. જે મહિલાઓ લગ્ન પહેલા પાતળી રહેવા માટે ઘણુ બધી કરતી હોય છે તેમનુ વજન લગ્નનના 6 મહિનામાં વધી જાય છે.
રુટિનમાં સેમ રહે છે
હેલ્થ એક્સપર્ટ અનુસાર વિવાહીત લોકોની તુલનામાં સિંગલ લોકો પોતાના હેલ્થ પર વધુ ધ્યાન આપે છે. તે કસરત કરે છે અને હેલ્ધી વસ્તુઓ ખાય છે. પોતાની લાઇફસ્ટાઇલને બદલાવા દેતા નથી. જ્યારે વિવાહીત લોકો આ પ્રકારનું રુટિન ફોલો કરી શકતા નથી.
મિત્રોથી રહે છે નજીક
એક યુનિવર્સિટી અનુસાર કપલની તુલનામાં સિંગલ લોકો સંબંધો ખુબ જલ્દી બનાવે છે અને દોસ્તી નિભાવે પણ છે. માત્ર આટલુ જ નહી તે સંબંધીઓ અને પાડોશી સાથે પણ સારા સંબંધો કેળવે છે.
કામને લઇને તણાવ નથી લેતા
એક ધારણા અનુસાર સિંગલ લોકો હંમેશા પાર્ટનરની તલાશમાં રહે છે. વિવાહીત લોકો કરતા સિંગલ લોકો ઓછો સ્ટ્રેસ લે છે અને જીવનને ભરપૂર માણે છે.
પૈસાને લઇને ઓછો તણાવ
પૈસાને લઇને સિંગલ લોકોની ક્યારેય કમ્પ્લેઇન હોતી નથી. વિવાહિત વ્યક્તિઓ પૈસાને લઇને ખુબ ચિંતીત હોય છે જ્યારે સિંગલ લોકોને તેવી કોઇ ચિંતા હોતી નથી.