મહેસાણા જિલ્લામાં DDOની સરપ્રાઈઝ ચેકિંગમાં ગેરહાજર તલાટીઓ, યોગ્ય ખુલાસો નહીં કરનાર તલાટી સામે થશે ખાતાકીય કાર્યવાહી
મહેસાણા જિલ્લામાં 5 તલાટીને કારણદર્શક નોટિસ
DDOની સરપ્રાઈઝ ચેકિંગમાં ગેરહાજર તલાટીઓ પર તવાઈ
યોગ્ય ખુલાસો કરે તો થશે ખાતાકીય કાર્યવાહી
ગામડામાં કઈ પણ સરકારી કામ પડે એટલે પહેલો તલાટી યાદ પણ.. હજુ પણ એવા કેટલાય ગામ છે જ્યાં તલાટી તો પણ હાજર રહેવાના ધાંધીયા છે. જ્યાં તલાટી તો છે પણ સમયસર કામ કરવામાં મોટી તકલીફો પડી રહી છે. કારણ કે ઘણા એવા તલાટીઓ છે જે હજુ પણ આયા રામ ગયા રામની સ્થિતિમાં કામ કરી રહ્યા છે. આવું જ કઈંક બન્યું છે મહેસાણા જિલ્લામાં DDOની સરપ્રાઈઝ ચેકિંગમાં તલાટીઓ ગેરહાજર જોવા મળ્યા છે.
DDOએ તલાટીઓ પાસે નોટિસ આપીને ખુલાસો માગ્યો
જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે 01 એપ્રિલના રોજ બેચરાજી તાલુકામાં,08 એપ્રિલના રોજ વિસનગર અને વડનગર તાલુકાના ગામોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન ઘણા ગામોમાં તલાટી હાજર ન હતા. લોકો પાસેથી મેળવેલ રિવ્યુમાં પણ સમયસર ન આવતા હોવાની ફરિયાદો મળી હતી. જે બાદ સૂચના મુજબ ગ્રામ પંચાયત ખાતે બોર્ડ અને મુવમેન્ટ રજિસ્ટર પણ વ્યવસ્થિતિ રીતે અપડેટ કરવામા આવેલ ન હતું. જેથી મહેસાણા જિલ્લાના બહુચરાજીના રણેલાના તલાટી નીલમબેન ચૌધરી, વિસનગરના ગુંજા ગામના તલાટી રામજી રાવતકિયાદર ગામના તલાટી દીક્ષિત પટેલ, વડનગરના મલેકપુર ગામના તલાટી કાંતાબેન ચૌધરીને કારણ દર્શક નોટિસ આપી ખુલાસો આપવા આદેશ કર્યો છે. તેમજ એ પણ નિર્દેશ કર્યો છે કે જો તલાટીઓ યોગ્ય ખુલાસો તેમજ સચોટ કારણ રજૂ નહિ કરે તો ખાતાકીય કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લીધો છે.
તલાટી
ગામ
તાલુકો
ગેરહાજર
નિલમબેન શંકરભાઇ
રણેલા
બેચરાજી
01 એપ્રિલ
રામજીભાઇ ભીખાભાઇ રાવત
ગુંજા
વિસનગર
08 એપ્રિલ
દિક્ષિતકુમાર ડાહ્યાભાઇ પટેલ
કિયાદર
વિસનગર
08 એપ્રિલ
કાન્તાબેન જેસંગભાઇ ચૌધરી
મલેકપુરા
વડનગર
08 એપ્રિલ
કારણદર્શક નોટીસ પાઠવી શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધર્યા બાદ એટલેથી ન અટકતા તલાટી કમ મંત્રીઓની કામગીરીનું સુપરવાઈઝ કરતાં વિસ્તરણ અધિકારીઓ પાસે પણ તલાટી કેમ ગેરહાજર છે તેનો જવાબ માંગ્યો હતો. અને તેમણે પણ ફરજમાં નિષ્કાળજી બદલ કારણદર્શક નોટિસ આપી શિસ્ત ભંગની કાર્યવાહી કરી છે. જેમાં મનીષાબેન, કમલેશભાઇ, કે.જે ઇસરા જેવા અધિકારી સામે આ કાર્યવાહી થઈ છે તેવી માહિતી મળી રહી છે.