દેશમાં જારી કોરોના સંકટ વચ્ચે સરકારના એક નિર્ણયથી વિવાદ ઉભો થઇ ગયો છે. જેમા તેણે ગોડાઉનમાં હાજર અતિરિક્ત ચોખાનો ઉપયોગ હેન્ડ સેનેટાઇઝર્સના પૂરવઠા માટે જરૂરી ઇથેનૉલ બનાવવામાં કરવાનો નિર્ણય લીધો છે. સરકારની તરફથી જણાવવામાં આવ્યું કે આ ચોખાથી ઇથેનૉલનું નિર્માણ કરવામાં આવશે.
દેશમાં જારી કોરોના સંકટ વચ્ચે સરકારના એક નિર્ણયથી વિવાદ
રાષ્ટ્રીય બાયો ફ્યૂઅલ નીતિ 2018 હેઠળ અતિરિક્ત અનાજને ઇથેનૉલમાં બદલવાની મંજૂરી અપાય છે
જેથી સેનેટાઇઝરની ઉપલબ્ધતા સરળતાથી સુનિશ્ચિત થઇ શકશે. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે દેશવ્યાપી લૉકડાઉનને કારણે લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો ભૂખમરા સુધી પહોંચી ગયા છે.
સરકારે રાષ્ટ્રીય બાયો ફ્યૂઅલ નીતિ 2018 (National Policy on Biofuels 2018), જે અતિરિક્ત અનાજને ઇથેનૉલમાં બદલવાની મંજૂરી આપે છે, તેનો હવાલો આપતા કહ્યું કે તેનો નિર્ણય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં થયેલી રાષ્ટ્રીય બાયો ફ્યૂઅલ સમન્વય સમિતિ (National Biofuel Coordination Committee) ની બેઠકમાં લેવામાં આવ્યો.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય ખાદ્ય નિગમ (FCI) ની પાસે ઉપલબ્ધ અતિરિક્ત ચોખાને ઇથેનૉલમાં બદલવા અને તેનો ઉપયોગ અલ્કોહલ આધારિત સેનેટાઇઝર્સના નિર્માણ અને પેટ્રોલમાં ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
રાષ્ટ્રીય બાયો ફ્યૂઅલ નીતિ 2018ના અનુસાર, જો એક પાક વર્ષમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા અંદાજિત માત્રાથી વધારે ખાદ્યાન્નનો પૂરવઠો હોય તો, આ નીતિ અનાજની આ વધારે માત્રાને રાષ્ટ્રીય બાયો ફ્યૂઅલ સમન્વય સમિતિની મંજૂરીના આધાર પર ઇથેનૉલમાં બદલવાની મંજૂરી આપશે.
ગત કેટલાક સપ્તાહમાં આ વાતને લઇને ખુબ જ વિવાદ થયો હતો કે દેશવ્યાપી લૉકડાઉનને પગલે ગરીબ ભૂખ્યા રહી રહ્યા છે અને ભારતીય ખાદ્ય નિગમ (FCI) ના ગોડાઉન અનાજથી ભર્યા પડ્યા છે.
જ્યારે લૉકડાઉન શરૂ થયું ત્યારે સરકારે ગરીબોને વધારે ભોજન આપવાનું વચન આપ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 5 કિલોગ્રામ ચોખા અથવા ઘંઉ જાહેર વિતરણ સિસ્ટમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરંતુ આ માત્ર એ લોકો માટે છે જેમની પાસે રાશન કાર્ડ છે.
જોકે મોટાભાગના પ્રવાસી મજૂરો માટે તે ઉપલબ્ધ નથી કેમકે તેઓ જ્યાં કામ કરે છે ત્યાં પોતાનું રાશન કાર્ડ લઇને જતા નથી. ઘણા એવા પણ છે જેમની પાસે રાશન કાર્ડ જ નથી. આવા લોકોની સંખ્યા લગભગ 50 લાખ હોવાનું અનુમાન છે. જેમને જોતા એક્સપર્ટ કહે છે કે જાહેર વિતરણ સિસ્ટમ દ્વારા આવા તમામ લોકોને ભોજન આપવું જોઇએ.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, કોરોના વાયરસના કેસ હવે 7.5 દિવસમાં ડબલ થઇ રહ્યા છે. જ્યારે લૉકડાઉનથી પહેલા લગભગ 3.4 દિવસોમાં કેસની સંખ્યા ડબલ થઇ રહી હતી. ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1553 કેસ નોંધાયા અને 36 લોકોના મોત થયા. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 17,656 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 559 લોકોના મોત થયા છે અને 2842 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.