16 સપ્ટેમ્બર 2016ના પકિસ્તાન દ્વારા આતંકીઓએ સૂતેલા ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. આર્મી કેમ્પમાં થયેલા આ હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા
6 વર્ષ પહેલા 29 સપ્ટેમ્બરે જ ભારતે પકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરી
પકિસ્તાનને 16 સપ્ટેમ્બર 2016ના દિવસે ઉરીમાં ભારતીય સેનાનો કેમ્પ પર કર્યો હતો હુમલો
29 સપ્ટેમ્બર 2016ની રાત્રે પેરા કમાન્ડોની ટીમે PoKમાં પ્રવેશી આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા
સર્જીકલ સ્ટ્રાઈક- આ નામ કોઈનાથી અજાણ્યું નહીં હોય. 6 વર્ષ પહેલા બરાબર આજના જ દિવસે ભારતે પકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. નોંધનીય છે કે, 16 સપ્ટેમ્બર 2016ના પકિસ્તાન દ્વારા આતંકીઓએ સૂતેલા ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. આર્મી કેમ્પમાં થયેલા આ હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા, પરંતુ આ પછી પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે જવાબ મળ્યો તે હજુ પણ તેમના કાનમાં ગુંજશે. આતંકી હુમલાના 11 દિવસ બાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને તેનો બદલો લીધો હતો.
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ભારતીય સેનાનો કેમ્પ હતો. આ કેમ્પમાં 6 સપ્ટેમ્બર 2016ના રપજ આતંકીઓએ હુમલો કરવાની યોજના બનાવી હતી. સવારે સૂર્યોદય પહેલા જ્યારે તમામ સૈનિકો સૂતા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. ચાર આતંકવાદીઓ કેમ્પમાં ઘૂસી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું. સૂતેલા સૈનિકોના તંબુઓને આગ લગાડવામાં આવી. આ હુમલો ઓચિંતો હુમલો કરીને કરવામાં આવ્યો હતો, જેથી સૈનિકોને બચવાની તક મળી ન હતી. પરિણામ એ આવ્યું કે ભારતે તેના 18 સૈનિકો ગુમાવ્યા. જોકે ચારેય આતંકવાદીઓ પાછળથી માર્યા ગયા હતા.
મહત્વનું છે કે, આ મોટા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં બદલાની આગ ભભૂકી ઉઠી હતી. લોકો માંગ કરી રહ્યા હતા કે, આતંકવાદીઓને પાઠ ભણાવવો જોઈએ. આ દરમ્યાન સરકાર તરફથી કંઈ કહેવામાં આવ્યું ન હતું, પરંતુ પડદા પાછળ બદલાની આખી સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી. તેના વિશે કોઈને ખ્યાલ નહોતો. આ સમગ્ર ઓપરેશન માટે આતંકવાદી ઠેકાણાઓની ઓળખ કરવામાં આવી હતી, તે નક્કી કરવામાં આવ્યું હતું કે, ક્યાં હુમલો કરવો અને ક્યાં આતંકવાદી કેમ્પ છે. આ પછી 29 સપ્ટેમ્બર 2016ની મોડી રાત્રે ભારતના પેરા કમાન્ડોની એક ટીમ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં પ્રવેશી. લગભગ 3 કિલોમીટર અંદર પ્રવેશ્યા બાદ ભારતીય સેનાના જવાનોએ તેમનું સ્પેશિયલ ઓપરેશન શરૂ કર્યું. જવાનોએ પીઓકેમાં હાજર તમામ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા.
આ સમગ્ર ઓપરેશન દરમ્યાન પાકિસ્તાની સેનાને કોઈ ખ્યાલ આવી શક્યો નહોતો. પાકિસ્તાનને આ વાતની જાણ થતાં જ તેણે પોતાના ફાઈટર જેટને બોર્ડર પર મોકલ્યા હતા, પરંતુ ભારતીય સેના પોતાનું કામ કરીને પરત ફરી ગઈ હતી. પાકિસ્તાનના હાથમાં કશું જ નહોતું આવ્યું. આ સમગ્ર હુમલામાં 50થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશનને સર્જિકલ સ્ટ્રાઈક નામ આપવામાં આવ્યું હતું. ખુદ પીએમ મોદીએ આ વાત દેશની સામે રાખી, જે બાદ દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી.
કેવી રીતે કરાઇ સર્જિકલ સ્ટ્રાઈક ?
ઓપરેશન માટે ભારતીય સેનાએ પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સ) Para SFને પસંદ કર્યું. ઓપરેશન PoKમાં રાત્રે 12.30 કલાકે શરૂ કરાયું.
Para SFના કમાન્ડોને હેલિકોપ્ટરથી એલઓસી પર ઉતારવામાં આવ્યા હતા.
કમાન્ડોએ કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર જમીન પર સરકીને પાર કર્યો.
સેનાને પહેલેથી જ આતંકી અડ્ડાઓની સટીક જાણકારી હતી.
કમાન્ડો અત્યાધુનિક હથિયારોથી પૂરી રીતે સજ્જ હતા.
ઓપરેશન સવારે 4.30 કલાકે પૂરુ કરાયું.
સેનાએ PoKમાં ચાર અલગ અલગ સેક્ટરમાં ઓપરેશન કર્યાં.
અંદાજે 40-50 આતંકીઓને મારવામાં આવ્યા.
આતંકીઓના 7 કેમ્પ પૂરી રીતે ધ્વસ્ત કરવામાં આવ્યા. કાર્યવાહી બાદ તમામ સૈનિક સહી સલામત પરત ફર્યા હતા.
પીએમ મોદીએ જાતે જ સમગ્ર ઓપરેશન પર નજર રાખી હતી. સેનાના પ્રમુખ મંત્રી, રક્ષા મંત્રી, એનએસએ (NSA) અજીત ડોભાલ ઓપરેશન સાથે જોડાયેલ હતા.