અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદીએ કહ્યું કે, હાલ સિવિલ હોસ્પિટલમાં 489 દર્દીઓ દાખલ અને સિવિલમાં મ્યુકરમાઈકોસીસની 30 જેટલી સર્જરી કરવી પડે છે.
અમદાવાદમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનો કહેર
મ્યુકરમાઇકોસીસના કેસમાં વધારો
489 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ
અમદાવાદમાં મ્યુકરમાઇકોસીના કેસમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓ વધ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદીએ કહ્યું કે હાલ સિવિલ હોસ્પિટલમાં 489 દર્દીઓ દાખલ છે. અને સિવિલમાં મ્યુકરમાઈકોસીસની રોજ 30 જેટલી સર્જરી કરવી પડે છે. સામે રોજ નવા 30 જેટલા દર્દીઓ પણ દાખલ થઈ રહ્યા છે. સાથે આટલા જ દર્દીઓ રોજ ડિસચાર્જ પણ થઈ રહ્યા છે. આ બધી સમસ્યા વચ્ચે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદીએ સિવિલમાં ઇન્જેક્શનની અછત ન હોવાનો પણ દાવો કર્યો છે.
ગુજરાતમાં મ્યુકર્માઈકોસિસને મહામારી જાહેર કરાઇ છે. CMની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો, રોગચાળા અંગે બેઠકમાં વિચારણા હાથ ધરવામાં આવી હતી. એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે મહામારી જાહેર કરવામાં આવી છે.
જવલ્લે જ જોવા મળતો મ્યુકર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.