ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેસ્ટમેન સુરેશ રૈના 2019-20ના ડોમેસ્ટિક ક્રિકેટ સિઝનમાં શરૂઆતની ઘણી મેચોમાં ભાગ લેશે નહીં.
સુરેશ રૈનાએ શુક્રવારે એમ્સ્ટર્ડેમમાં ઘૂંટણની સર્જી કરાવી હતી અને 4- 6 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. BCCIએ પોતાના ઑફિશ્યલ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ''સુરેશ રૈના છેલ્લા કેટલાક મહિનાથી ઘૂંટણની તકલીફ અનુભવી રહ્યો હતો. સુરેશ રૈનાએ પોતાની સારવાર માટે તેણે સર્જરી કરાવી છે, સર્જરી સફળ રહી છે અને આગામી 4થી 6 અઠવાડિયામાં અંદર પૂરેપૂરી રિકવરી મેળવી લેશે.''
Mr Suresh Raina underwent a knee surgery where he had been facing discomfort for the last few months. The surgery has been successful and it will require him 4-6 week of rehab for recovery.
સુરેશ રૈનાના ટીમ ઇન્ડિયા માટે છેલ્લે જુલાઈ 2018માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઇંગ્લેન્ડમાં રમ્યો હતો. 2019ના IPLમાં તેણે ચેન્નાઇ સુપરકિંગ્સ માટે 17 મેચમાં 23.93ની એવરેજથી 383 રન કર્યા હતા. IPLની છેલ્લી ત્રણ સીઝનમાં પહેલી વાર તે 400 રનનો આંક વટાવી શક્યો ન હતો.
ટીમ ઇન્ડિયાના ડોમેસ્ટિક સીઝનની શરૂઆત 17 ઓગસ્ટથી બેંગ્લોરથી થશે. ઇન્ડિયા બ્લૂ, ઇન્ડિયા રેડ અને ઇન્ડિયા ગ્રીનની ટીમો દુલીપ ટ્રોફીમાં એકબીજા સામે ટકરાશે.