ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી સુરેશ રીના ભારત પરત આવી ગયા છે અને હવે તે IPL નહીં રમી શકે. મીડિયા અહેવાલ અનુસાર પઠાનકોટમાં તેમના ફોઈના પરિવાર પર થયેલા હુમલાના કારણે તેઓ ટૂર્નામેન્ટ મૂકીને આવ્યા છે.
નવ દિવસ પહેલા પઠાનકોટમાં થયો હતો હુમલો
રૈનાના ફોઈ અને ભાઈની હાલત ગંભીર
આ જ કારણથી રૈના ભારત પરત આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે
ફોઈ અને ફોઈના દીકરાની હાલત અત્યારે ગંભીર
નવ દિવસ પહેલા 19-20 ઓગસ્ટની રાતે પઠાનકોટમાં ધરિયાલ ગામમાં લૂંટફાટ અને હત્યામાં સુરેશ રૈનાના ફુઆની મોત થઇ હતી. આ હુમલામાં તેમના ફોઈ અને ફોઈના દીકરાની હાલત અત્યારે ગંભીર છે. ADGP લો એન્ડ ઓર્ડરે આ મામલા પાછળ એક ગેંગનો હાથ હોવાનું કહ્યું છે. અહેવાલ સામે આવી રહ્યા છે કે સુરેશ રૈના IPL છોડીને આ કારણથી જ પાછા આવી રહ્યા છે.
લૂંટારૂઓએ રોકડ, ઘરેણાં અને અન્ય સામાન પર હાથ સાફ કર્યા
19-20 ઓગસ્ટની રાતે અઢી વાગે શખ્સોએ શોક કુમારના મકાન પાછળના ખેતરોમાં લાગેલી સીડીઓથી મકાન પર ચડ્યા અને રૈનાના ફુઆ અને તેમના બે દીકરાઓ પર હુમલો કરી દીધો. પોલીસના કહ્યા અનુસાર આ શખ્સોએ બેસબોલના બેટ અને સળીયાથી હુમલો કર્યો હતો. જે બાદ તે ગુંડાઓ નીચે ઉતર્યા અને રૈનાના ફોઈ આશા દેવી અને તેમની સાસુ સત્યા દેવી પર હુમલો કર્યો. પછી તે લૂંટારૂઓએ રોકડ, ઘરેણાં અને અન્ય સામાન પર હાથ સાફ કર્યા. સવારે દૂધ આપવા આવેલ વ્યક્તિને જ્યારે અવાજ સંભાળાયો ત્યારે ઘણા બધા લોકોએ ભેગા થઇને ઘરનો દરવાજો તોડ્યો પરંતુ ત્યાં સુધી અશોક કુમારનું નિધન થઇ ગયું હતું.
મામલાની તપાસ કરી રહેલા એસપી પ્રભજોત સિંહે કહ્યું છે કે તેમને પહેલા પીડિત પરિવારના ક્રિકેટર રૈના સાથે સંબંધ હોવાની જાણ ન હતી. પોલીસ પહેલા પણ આ મામલે ગંભીરતાથી જ તપાસ કરી રહી હતી અને કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે.
CSK માટે એક ઝટકો
28 ઓગસ્ટના રોજ સમાચાર આવ્યા હતા કે ચેન્નઇ સુપરકિંગ્ઝના 11 લોકોને કોરોના પોઝીટીવ છે ત્યાં બીજા માઠા સમાચાર આવ્યા કે સુરેશ રૈનાએ IPL2020 છોડીને ભારત પરત ફરવું પડ્યું. ચેન્નઇ સુપર કિંગ્ઝના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવી હતી કે સુરેશ રૈના વ્યક્તિગત કારણોથી ભારત પરત ફર્યા છે અને હવે તે IPL2020માં પરત નહી ફરે. ચેન્નઇ સુપર કિંગ્ઝનો સંપૂર્ણ સપોર્ટ સુરેશ રૈના અને તેમના પરિવાર સાથે છે. નોંધનીય છે કે સુરેશ રૈના એક મહત્વનો ખેલાડી છે.