દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આજે બે અકસ્માતો થયા છે જેમાં એકનું મોત કુલ 14 ઇજાગ્રસ્ત થયા છે.
સુરેન્દ્રનગરઃ કાર પલટી જતા યુવકનું ઘટનાસ્થળે મોત
સુરેન્દ્રનગરના સાયલા-પાળીયાદ રોડ પર કારપલટી મારતા અકસ્માત થયો હતો. કારપલટી જતા યુવકનું ઘટનાસ્થળે મોત થયુ છે. જ્યારે અન્ય 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતાં. આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે કારચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે.
વડોદરાઃ ડાકોરથી યાત્રા કરીને પરત ફરતા યાત્રાળુઓને નડ્યો અકસ્માત
વડોદરા ભરૂચ હાઈ-વે પર અકસ્માત થયો છે. સાંસરોદ ગામ નજીક લકઝરી બસનો અકસ્માત થયો હતો. ડાકોરથી યાત્રા કરીને પરત ફરી રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો. આગળ ચાલતી ટ્રક સાથે લક્ઝરી બસ અથડાતા અકસ્માત થયો હતો.
ડિવાઈડર પર બસ ચઢી જતા અંદર બેસેલા મુસાફરોમાંથી 10ને ઇજા થઇ હતી. આ ઇજાગ્રસ્તોને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, એક નાની ભૂલના કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આ અકસ્માતો અટકાવવા લોકોએ જાગૃત અને સાવચેત થવું જરૂરી છે. ગુજરાત અને સમગ્ર દેશમાં અકસ્માત એક મોટી આફત બની છે.