સુરેન્દ્રનગરમાં ST બસ સ્ટેન્ડ ન હોવાના કારણે સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં તંત્ર દ્વારા જૂનુ બસ સ્ટેન્ડ તોડવામાં આવ્યુ છે. જોકે હજી સુધી નવુ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યુ નથી. જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
ત્યારે હવે કોંગ્રેસ સમિતિએ થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ થાળી વેલણ વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર દ્વારા 55 કરોડને બદલે 8 કરોડ જેટલી રકમ બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો.