રાજ્યમાં રોડ રસ્તાના કામોમાં અનેકવાર ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર ઓવરબ્રિજમાં પડ્યુ ગાબડુ પડતા વધુ એક ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે
સુરેન્દ્રનગર ઓવરબ્રિજમાં પડ્યુ ગાબડુ
ત્રણ વર્ષ પહેલા બ્રિજનું થયું હતું નિર્માણ
42 કરોડના ખર્ચે તૈયાર કરાયો હતો બ્રિજ
રાજ્યમાં રોડ રસ્તાના કામોમાં અનેકવાર ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજમાં ગાબડું પડી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ત્રણ વર્ષ પહેલા બ્રિજનું થયું હતું નિર્માણ
સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારમાં માટે અનેક રજૂઆત બાદ ઓવરબ્રિજ મંજૂર થયો હતો જેનું વર્ષ 2018માં તત્કાલિન મુખ્યમંત્રી વિજયરૂપાણીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરતું ત્રણ વર્ષમાં જ ઓવરબ્રિજમાં રોડ વચ્ચે ગાબડું પડી જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
42 કરોડના ખર્ચે તૈયાર કરાયો હતો બ્રિજ
સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ અનેક રજૂઆતો બાદ ઓવરબ્રિજ મંજૂર થયો હતો અને વર્ષ 2018 માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂ.૪૦ કરોડના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરી શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, પરતું થોડા જ સમયમાં બ્રિજની વચ્ચે જ ગાબડું પડી જતા શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઓવરબ્રિજમાં ગાબડાને કારણે શહેરીજનો અને વાહનચાલકોને હાલાકી પડતાં તંત્ર અને કોન્ટ્રાકટર સામે નારાજગી વ્યક્ત કરી બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.
જૂના જંકશન પાસે ઓવરબ્રિજમાં ગાબડુ
જો કે સમગ્ર મામલે શહેરીજનો દ્વારા પાકિલાના ચીફ ઓફિસર સંજય પંડ્યોને સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ સંજ્ય પડ્યાએ બ્રિજનું કામ કરનાર કન્સલટન્ટ અને કોન્ટ્રાક્ટરને જાણ કરી જેમાં બ્રિજ પર ગાબડાંને કારણે જાનહાનિની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું હતું. જો કે સમગ્ર મામલે તંત્ર દ્વારા તાત્કાલિક બીજનું રીપેરિંગ કરવાની ખાત્રી આપી હતી.