સુરેન્દ્રનગર: જિલ્લાના લખતર તાલુકાના રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પર તૂટેલી હાલતમાં સિમેન્ટ સ્વિપર લોક મળ્યા છે. ટ્રેક નીચે સિમેન્ટના સ્વિપરના લોક નાંખવામાં આવે છે તે તૂટયા છે. સ્થાનિક રેલવેના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ટ્રેક પરથી પ્રતિદિન માલગાડી પસાર થાય છે. ગમે ત્યારે મોટી જાનહાની થવાની શક્યતાઓ છે.
આ મામલે મળતી જાણતી જાણકારી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા ખાતે આવેલ રેલવે સ્ટેશનના રેલવે ટ્રેક પર તૂટેલી હાલતમાં સિમેન્ટ સ્વિપર લોક મળી આવતા વાતાવરણ ગરમાયું હતું.
આ રેલવે ટ્રેક પરથી રોજ થોકબંધ માલગાડીઓ અને પેસેન્જર ટ્રેન પસાર થાય છે. ત્યારે આ રીતે તૂટેલી હાલતમાં મળી આવેલ સિમેન્ટના સ્વિપરના લોક કોઇના દ્વારા તોડવામાં આવ્યા છે કે કેમ તેમ શંકાનો વિષય બન્યો છે.
જો કે આ ઘટના અંગેની જાણ સ્થાનિક સ્ટેશન માસ્તરને થતાં જ તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના રેલવે અધિકારીને કરી હતી. જેને પગલે અધિકારીઓ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તૂટેલી હાલતમાં સિમેન્ટ સ્વિપર લોક પડ્યા હોવાની જાણકારી સમયસર મળી જતાં મોટી જાનહાની થતાં અટકી ગઇ હતી.