ઝાલાવાડ તરીકે ઓળખાતો સુરેન્દ્રનગરનો વિસ્તાર ભૌગૌલિક અને રાજકીય રીતે આગવું મહત્વ ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લો એ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે અને રણ, ડુંગર અને સપાટ મેદાન ધરાવતા આ વિસ્તારની રાજકીય તાસીર પણ આગવી છે. હાલ સુરેન્દ્રનગર સંસદીય મતક્ષેત્રના સાંસદ છે, ભાજપના દેવજીભાઇ ફતેપરા. સુરેન્દ્રનગર સંસદીય મતક્ષેત્ર માટે એક સાંસદ તરીકે દેવજીભાઇ ફતેપરાએ છેલ્લાં પાંચ વર્ષમાં શું કર્યું?
સંસદનું સરવૈયું...
સાંસદ દેવજી ફતેપરા ગુમ થયા હોવાના પોસ્ટરો લાગ્યા હતા...
સાંસદ દેવજી ફતેપરાએ છેલ્લા પાંચ વર્ષમાં શું કર્યું?
કેટલા મળ્યા માર્કસ?
2014માં દેવજીભાઇ ફતેપરાની બે લાખ મતે થઇ હતી જીત
સુરેન્દ્રનગર સંસદીય મતક્ષેત્રમાં જિલ્લાની સાત વિધાનસભા બેઠકાોનો સમાવેશ થાય છે. 2014માં મોદી લહેરમાં દેવજીભાઇ ફતેપરા પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા. 2014માં દેવજીભાઇ ફતેપરાએ પોતાના કોંગ્રેસી પ્રતિસ્પર્ધી સોમાભાઇ પટેલને બે લાખ મતે હાર આપી હતી. 2014ની લોકસભા ચૂંટણી સમયે દેવજીભાઇ ફતેપરાએ પોતાની કુલ મિલકત રૂપિયા એક કરોડ સોળ લાખ જાહેર કરી હતી.
પાણીનો પ્રશ્ન પણ દૂર કરવા માટે વચનો...
2014માં ચૂંટણી સમયે સુરેન્દ્રનગરને કોટનહબ બનાવવા માટે જોરશોરથી જાહેરાત કરી હતી પણ આ વચનો આજે જુમલા સાબિત થયા છે. આ સાથે વિસ્તારનો પાણીનો પ્રશ્ન પણ દૂર કરવા માટે વચનો અપાયા હતા. પણ આજે સાંસદ તરીકો પાંચ વર્ષ સંપન્ન થયાં બાદ પણ નાગરિકોની ફરિયાદો સાંસદ દેવજીભાઇ ફતેપરા માટે આવી જ રહી છે.
સ્થાનિકોની ફરિયાદ છે કે સાંસદે ચૂંટણી સમયે વચન આપ્યાં હતા જે પૂરાં ન થતાં લોકાોમાં રોષ છે સાથે સાંસદ લોકોની વચ્ચે પણ નથી આવતા એ માટે મોટા પ્રમાણમાં લોક ફરિયાદ છે. સંસદમાં પહેલી વાર જતા દેવજીભાઇ ફતેપરાએ પંરપરાગત પોષાક પહેરી લોકનૃત્ય કરતાં પહોંચી લોકચર્ચામાં રહ્યાં હતા. સાંસદ તરીકો દેવજીભાઇ ફતેપરા સંસદની શ્રમ સમિતિના સભ્ય રહ્યાં છે.
છેલ્લાં પાંચ વર્ષમાં સાંસદ તરીકોની પોતાની કામગીરીને દેવજીભાઇ ફતેપરાએ કંઇક આ રીતે રજૂ કરી
દેવજીભાઇએ પોતાની પાંચ વર્ષની કામગીરીને માત્ર રેલ્વેની કામગીરી સુધી જ મર્યાદીત માની. સાંસદ દેવજીભાઇ ફતેપરાના કામને તેમના 2014ના કોંગ્રેસી પ્રતિસ્પર્ધિએ મર્યાદિત ગણાવ્યું. કોંગ્રેસી સોમાભાઇ પટેલના મતે દેવજીભાઇ પાયાના કામ કરવામાં પણ નિષ્ફળ ગયા છે.
સુરેન્દ્રનગર સાંસદ દેવજીભાઇ ફતેપરાએ પાયાના કામો નથી કર્યા તેવો વિરોધીઓનો આક્ષેપ છે. સાથે નવાઇની વાત તો એ છે કે સાંસદે કુલ કેટલાં પ્રશ્નો સંસદમાં પુછ્યા તે અંગે ખૂદ જ અજાણ છે.
હકીકતમાં સાંસદ દેવજી ફતેપરાએ સંસદની વેબસાઇટ પ્રમાણે પૂછ્યા છે માત્ર 219 પ્રશ્નો અને સાંસદ દેવજીભાઇ ફતેપરાએ દાવો કર્યો કે તેમણે પૂછ્યા છે 300 પ્રશ્નો. શું સાંસદ દેવજીભાઇ ફતેપરા પણ પોતાની મહત્વની સંસદીય કાર્યવાહિથી સાવ અજાણ છે.
સાંસદની પોતાના વિસ્તાર પ્રત્યેની નિષ્કાળજીથી હજી પણઅનેક પ્રાણ પ્રશ્નો વણઉકલ્યા
સુરેન્દ્રનગર કપાસમાં મોખરાનું ઉત્પાદન કરવા છતાં હજી પણ કોટન હબ બની શક્યું નથી. પાણીની બાબતે વાત કરીએ તો સુરેન્દ્રનગર હજી પણ નપાણીયો જ વિસ્તાર રહ્યો છે, લોક માંગ છતાં ધોળીધજા ડેમ પ્રજાની તરસ છીપાવી શકતો નથી. ખેડૂતોને પાકવીમાનું યોગ્ય વળતર મળતુ નથી જેનો રોષ પંથકના મોટાભાગના ખેડૂતોને છે. સુરેન્દ્રનગર જે કાંઠે વસ્યું છે તે ભોગાવા નદીમાં પ્રદૂષણ વધતુ જાય છે તે બાબતે સાંસદ ખુદ ખામોશ છે. સાંસદને જાણ હોવાં છતાં સુરેન્દ્રનગરને મેડીકલ કોલેજ પ્રાપ્ત થઇ નથી. વિસ્તારમાં જોઇએ તો વઢવાણ, સુરેન્દ્રનગર અને લીંબડીનો વિકાસ થયો નથી જેનું નાગરિકોને દુઃખ છે. જિલ્લામાં નામના અપાવતા ઘુડખર અભ્યારણનો વિકાસ પણ ખોરંભે છે. રેલ્વેના સ્ટોપેજ અને સ્ટેશનના વિકાસ સાથે ટ્રેન સુવિધાના પ્રશ્નોથી પણ પ્રજાને અસંતોષ છે. અગરિયાઓના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા સહિતના અનેક પ્રશ્નો વર્ષોથી વણ ઉકલ્યા રહ્યાં છે, જે સાંસદની નિક્રીયતાને દર્શાવે છે.
ક્યા પ્રશ્નો વણઉકલ્યા
- સુરેન્દ્રનગર કોટન હબ બની ન શક્યું
- પાણીની સમસ્યા યથાવત છે, ધોળીધજા ડેમ ભરાતો નથી
- ખેડૂતોને પાકવીમા સામે યોગ્ય વળતર પ્રાપ્ત થયું નથી
- ભોગાવામાં થતા પ્રદૂષણ બાબતે કાોઇ કાર્યવાહિ નહીં
- મેડિકલ કોલેજ પ્રાપ્ત થઇ નથી
- સુરેન્દ્રનગર-વઢવાણ અને લીંબડીનો યોગ્ય વિકાસ થયો નથી
- ઘુડખર અભ્યારણનો વિકાસ ખોરંભાયો છે
- રેલ્વેના પ્રશ્નો વણ ઉકેલ્યા છે
- અગરિયાના પ્રશ્નો પ્રગતિ થઇ નથી
એક સાંસદ તરીકો દેવજીભાઇ ફતેપરાએ પોતાની સાંસદની ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કર્યો છે. જેમાં સીસી રોડ નિર્માણ, જળ સંરક્ષણ, બાંકડા, એસ.ટી બસસ્ટેન્ડ, આંગણવાડી વિકાસ જેવાં કાર્યોમાં ઉપયોગ થયો છે. છેલ્લાં પાંચ વર્ષથી સાંસદ દેવજી ફતેપરાની સંસદીય કાર્યવાહિ ખુબ ઉત્સાહજનક રહી નથી. દેશના સાંસદો સરેરાશ પ્રશ્નો પુછે છે તેના કરતાં ઓછા પ્રશ્નો દેવજીભાઇ ફતેપરાએ પુછ્યા છે. જેનાથી વિસ્તારના મહત્વના પ્રશ્નો પ્રત્યે સંસદમાં વાચા મળી નથી. એક બાજુ દેશના સાંસદો સરેરાશ 67 ડીબેટમાં હિસ્સો લીધો ખે તેની સામે દેવજીભાઇ ફતેપરાએ તેરમાંભાગની ડીબેટ એટલે કો માત્ર પાંચ જ ડીબેટમાં ભાગ લઇને સંતોષ માન્યો છે.
હાજર કે ગેરહાજર
કેટલી હાજરી - 85 ટકા
કેટલા પ્રશ્ન પૂછ્યા - 219 પ્રશ્નો
કેટલી કરી ડિબેટ - 5
દેવજીભાઇ ફતેપરા સાંસદમાં નિક્રીય કહી શકાય તેવાં રહ્યાં
સામાન્ય સંજોગોમાં બોલકા રહેતા અને પોતાની હરકતોથી લોક નજરમાં રહેતા દેવજીભાઇ ફતેપરા સાંસદમાં નિક્રીય કહી શકાય તેવાં રહ્યાં છે. આમ ડીબેટ અને પ્રશ્નો પૂછવામાં દેવજીભાઇ ફતેપરા દેશના સરેરાશ સાંસદ કરતાં વામણાં સાબિત પૂરવાર થયાં છે. સંસદમાં પણ દેવજીભાઇ ફતેપરાએ સુરેન્દ્રનગર સંસદીય મતક્ષેત્રને સીધી રીતે અસર કરે તેવા મર્યાદિત જ પ્રશ્નો પૂછ્યા છે. દેવજીભાઇએ વર્ષોથી અગવડ ભોગવતા અગરિયાઓના કલ્યાણ માટેની નીતિ અંગે પ્રશ્ન પુછ્યો છે. સુરેન્દ્રનગરમાં મેડીકલ કોલેજ માટે પ્રશ્ન પુછ્યો છે, પણ મેજીકલ કાોલેજ મળી નથી. થાનના સિરામીક ઉઘોગને સંરક્ષણના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છતાં સીરામીક ઉઘોગને સીએનજી ગેસ સહિત અનેક સમસ્યાઓ નડી રહી છે. રાજકોટ એરપોર્ટના વિસ્તૃતીકરણ અને ગ્રામીણ રસ્તાઓ અંગે પણ સંસદમાં દેવજીભાઇ ફતેપરાએ પ્રશ્ન ઉઠાવ્યાં છે. સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની તંગી અંગે સૌની યોજના અંગે સંસદમાં પ્રશ્ન કર્યો છે.
એક સાંસદ તરીકે દેવજીભાઇ ફતેપરાએ રેલ્વે સ્ટેશનના આધુનિકરણ કરવા બાબતે પણ પ્રશ્ન કર્યા છે. કપાસનું મહામ વાવેતર કરતાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસમાં ટેકાના ભાવ મળે તે અંગે પણ પ્રશ્ન સંસદમાં રજૂ કર્યા છે પણ ખેડૂતોને ઇચ્છીત ભાવ પ્રાપ્ત થતા નથી. પોતાના વિસ્તારના અંતરિયાળ ગામોનું વીજળીકરણ અને પીવાના પાણીની તંગી અંગેના પ્રશ્નો સાંસદ દેવજીભાઇ ફતેપરાએ સંસદમાં ઉઠાવ્યાં છે. પણ હજી પણ આ પ્રશ્નોનો ઇચ્છીત ઉકેલ ન આવતા સ્થિતિ જૈસે કી તૈસી રહી છે.
કેવાં પ્રશ્નો પૂછ્યાં
અગરિયાના કલ્યાણ માટે સરકારી નીતિ
સુરેન્દ્રનગર ખાતે મેડિકલ કાોલેજ
સિરામીક ઉઘોગને સંરક્ષણ આપવું
રાજકોટ એરપોર્ટનું વિસ્તૃતીકરણ કરવું
ગ્રામીણ રસ્તાઓ માટે નાણાંકીય સહાય આપવી
સૌની યોજના અને તેની અસર
રેલ્વે સ્ટેશનોનું આધુનિકરણ
કપાસના ટેકાના ભાવ
અંતરિયાળ ગામોનું વીજળીકરણ
પીવાના પાણીની તંગી
સુરેન્દ્રનગરનો વિસ્તાર નપાણીયા વિસ્તાર તરીકો પણ જાણીતો છે. પાણી અને ખેતીમાં કપાસના ટેકાના ભાવ મહત્વનો પ્રશ્ન છે. યુવાઓને રોજગારી અને મોંધા થતા શિક્ષણ અને મોંઘુ થતી આરોગ્ય સારવાર એ વિસ્તારમાં મોટી જનસમસ્યા બનતી જાય છે. અગરિયા અને સીરામીક ઉઘોગ પણ સરકારી પ્રોત્સાહનની રાહ જુએ છે. નેશનલ હાઇ-વેની મરામત તથા રેલ્વે સુવિધામાં વધારો એ સ્થાનિકોની માંગ છે ત્યારે સાંસદ દેવજીભાઇ ફતેપરાએ સંસદમાં ગંગાનદી અને અન્ય વિસ્તારોના પ્રશ્નો અંગે વધુ બોલકા થયા હતા. જેમાં દેવજીભાઇ ફતેપરાએ ગંગા પ્રોજેક્ટ અંગે વધુ પ્રશ્નો કર્યા છે. સાંસદ દેવજીભાઇ ફતેપરાએ ગંગા શુદ્ધીકરણ અને નમાની ગંગે પ્રોજેક્ટમાં થતાં ભ્રષ્ટાચાર અંગે વધુ રસ દાખવ્યો છે, જ્યારે ભાદરના પ્રદૂષણ બાબતે તેઓ પ્રમાણમાં શિથિલ રહ્યાં છે. ગંગા સફાઇનો કરાર અને ગંગામાં નાળાના પ્રદૂષણ બાબતે પણ દેવજીભાઇ ફતેપરાએ ચિંતા કરી સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યાં છે. તો અમદાવાદ-દાંડી નેશનલ હાઇ-વેની સ્થિતિ અને દાંડી હેરીટેજ રૂટના વિકાસ બાબતે પણ તેઓએ સક્રિયતા દાખવી છે. દેવજીભાઇ ફતેપરાએ વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇ-વેની ચિંતા કરી છે. સાથે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇના મેમોરિયલ નિર્માણ બાબતે પણ તેઓએ પ્રશ્ન કર્યો છે. દેવજીભાઇ ફતેપરાએ દૂબઇ એરપોર્ટ ઉપરના સ્લોટની ચિંતા કરી છે. દેવજીભાઇ ફતેપરાએ આટલી જ ચિંતાઓ પોતાના વિસ્તારના અન્ય પ્રશ્નો અંગે કરી હોત તો પ્રજાના પ્રશ્નને વાચા મળતા ઉકેલ થયા હોત.
કેવા પ્રશ્નો પુછ્યા
ગંગા શુદ્ધિકરણ કાર્યની સ્થિતિ
નમામી ગંગે પ્રોજેક્ટમાં થતી ગેરરીતી
ગંગા સફાઇનો કરાર
ગંગામાં ભળતા પાણીના નાળાની ગંગા ઉપર અસર
અમદાવાદ-દાંડી નેશનલ હાઇ-વેની સ્થિતિ
હેરિટેજ રૂટનો વિકાસ
વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇ-વે
મોરારજી દેસાઇનું મેમોરિયલ નિર્માણ
દૂબઇ એરપોર્ટ ઉપર સ્લોટ
સાંસદ દેવજીભાઇ ફતેપરાએ સંસદમાં સામાજિક મુદ્દે સક્રિયતા દાખવી છે, પણ સ્થાનિકાો પ્રત્યેનું રૂણ ઉતારવામાં ઉણાં ઉતર્યા છે. રાષ્ટ્રીય અને રાજ્યના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે, જ્યારે સ્થાનિક વિકાસ અને મુદ્દાની અવગણના કરી છે. સ્થાનિક નાગરિકોએ સાંસદ તરીકો દેવજીભાઇ ફતેપરાની કામગીરીને કઇ રીતે જોઇ અને કેટલાં આપ્યાં સાંસદ દેવજીભાઇ ફતેપરાંને 10 માંથી માર્કસ....
VTVએ કોટલાં ગુણ આપ્યાં
5/10
એક સાંસદ તરીકે સુરેન્દ્રનગરની જનતાને દેવજીભાઇ ફતેપરા ઉપર બહુ વિશ્વાસ હતો. તેઓ આ અગઉ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. પણ ક્યાંકને ક્યાંક સ્થાનિક મુદ્દાઓને ઉઠાવવા માટે દેવજીભાઇ ફતેપરા નિષ્ક્રીય રહ્યાં હોય તેવું લાગે છે. 2019ની ચૂંટણીમાં ભાજપ કોળી મતોને અંકો કરી બેઠક હાંસલ કરવા નવો ચહેરો પણ ઉતારી શકે તેમ છે.