સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. શિવમ પેઇન્ટ્સ નામની દૂકાનમાં આગ લાગી હતી. આગને કારણે દુકાનમાં કલર પેઇન્ટ અને કેમિકલ સહિતનો મુદ્દામાલ બળીને ખાક થઇ ગયો હતો. આ આગ શોટસર્કિટને કારણે લાગી હોવાની આશંકા છે. જો કે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.મોડીરાતની આ ઘટનામાં 3 ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં ગત મોડી રાતે શિવમ પેઇન્ટસ એન્ડ હાડવેર નામની એક દુકાનમાં અચાનક આગ લાગી છે જો કે આ ઘટનાની જાણ સુરેન્દ્રનગર-વઢવાણના ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટના અંગને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતા સોર્ટસર્કિટ થયું હોવાનું માલૂમ પડ્યું હતું જો કે અચાનક લાગેલ આગને પગલે દુકાનમાં રહેલ સામાનને મોટી સંખ્યામાં નુકસાન થવા પામ્યું હતુ. આ ઘટનાની તપાસ હાલ સુરેન્દ્રનગર સ્થાનિક પોલીસ ચલાવી રહી છે.