હાલ રાજ્યમાં દિવાળીના તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બુધવાર રાજ્ય માટે ગોઝારો અકસ્માત દિવસ તરીકે શરુ થયો છે. ગઇકાલે મોડી રાત્રે વડોદરા પાસે અકસ્માતમાં 10 લોકોના મૃત્યુંની આશંકા વચ્ચે વહેલી સવારે સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં 4 લોકોનાં ઘટનાસ્થળે મૃત્યું થયા છે.
સુરેન્દ્રનગર-લખતર રોડ પર અકસ્માતમાં 4 વ્યક્તિના મૃત્યુ
કોઠારીયા ગામના પાટીયા પાસે કાર ઝાડ સાથે અથડાઈ
કાર ચાલકએ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરથી લખતર જવાના રોડ પર કોઠારિયા ગામના પાટિયા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી. આ દૂર્ઘટનામાં 4 લોકોનાં ઘટનાસ્થળે મૃત્યું થયા છે.
આ અકસ્માતમાં એટલો ભયંક હતો કે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે દૂર્ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલ અકસ્માતને લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.