સુરેન્દ્રનગર: આજે ચોટીલામાં અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન યોજાશે. મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાશે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને થોડો સમય બાકી છે.
ત્યારે આ કોળી સંમેલનને શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. જસદણ બેઠક પરથી જીત મેળવ્યા બાદ કુંવરજી બાવળિયાનું શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠકમાં કોળી સમાજની બહુમતિ છે ત્યારે કોળી સમાજનું સંમેલન અનેક ચર્ચાઓ જગાવે છે.
સંમેલનને નિષ્ફળ બનાવવાનો કરાયો છે પ્રયાસ
કુંવરજી બાવળીયાએ બોલાવેલા કોળી સંમેલનને નિષ્ફ્ળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંમેલનને નિષ્ફળ બનાવવા કોંગ્રેસનાં કોળી આગેવાનો સક્રિય થયાં છે. ઋત્વિક મકવાણા સોમા પટેલ સહિત કોંગ્રેસનાં આગેવાનો આ સંમેલન સામે પ્રશ્ન ઉભા કરી રહ્યાં છે. તેઓ કોળી સમાજનાં લોકોને સંમેલનમાં ન જવા માટે આગ્રહ કરી રહ્યાં છે.
CM આવે છે પરંતુ આ સમાજનું સંમેલન ન હોવાંની તેઓ દલીલ કરી રહ્યાં છે. ચોટીલા પંથકનાં ગામડાઓમાં જઈને તેઓ મહેનત કરી રહ્યાં છે. કોંગ્રેસનાં કોળી સમાજનાં આગેવાનો આ માટે ખૂબ દમ લગાવી રહ્યાં છે. મહત્વનું છે કે 2જી ફેબ્રુઆરીએ ચોટીલા ખાતે બાવાળીયાએ મહાસંમેલન બોલાવ્યું છે. ત્યારે આ સંમેલનનાં નામે કોળીઓને ભાજપ સાથે જોડવા પ્રયાસ થતો હોવાનું કોંગ્રેસનાં આગેવનો જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કોળી સમાજનાં આગેવાનો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્યનાં કેબિનેટ મંત્રી અને કોળી સમાજનાં દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા ગીર સોમનાથનાં વેરાવળની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જિલ્લાનાં કોળી સમાજનાં આગેવાનો સાથે બેઠકનું આયોજન કર્યુ હતું. જેમાં કોળી સમાજનાં તમામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.