સુરેન્દ્રનગર સબજેલમાં સબસુરક્ષિત હોવાના દાવા પોકળ સાબિત થયા છે. સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા સબજેલમાંથી ફરી એકવાર બિનઅધિકૃત ચીજવસ્તુઓ મળી આવતા ફરી એકવાર સબજેલ વિવાદમાં સપડાઈ છે. સેશન્સ જજ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
જેમાં ચેકિંગ દરમિયાન હથોડી ટાંકણા મળી આવ્યા હતા. સબજેલમાં આવેલા મંદિર પાસેથી આ વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સબજેલમાંથી આ રીતે બિનઅધિકૃત ચીજવસ્તુઓ મળી આવી છે. ત્યારે ફરી એકવાર બનેલી ઘટનાએ ચર્ચા ઊભી કરી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયગાળાથી જેલમાંથી મોબાઇલ માવા તથા અન્ય કેટલીક બિનઅધિકૃત વસ્તુઓ મળી હોવાના પ્રસંગો પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આજરોજ વધુ એકવખત ધાંગ્રધા સબજેલમાંથી બિનઅધિકૃત વસ્તુઓ મળી આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.
#SurendraNagar ની ધ્રાંગધ્રા સબજેલમાંથી બિનઅધિકૃત વસ્તુઓ મળી
ચેકીંગ દરમિયાન હથોડી ટાંકણા મળી આવ્યા
સેશન્સ જજ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરાયુ
જેલની અંદર આવેલ મંદિર પાસેથી મળી આવી વાંધાજનક વસ્તુઓ
અવાર-નવાર જેલમાંથી વસ્તુઓ મળી આવે છે pic.twitter.com/nbN6jiB1gv
જિલ્લાના સેશન્સ જજ અને તેમની ટીમ દ્વારા ગતરોજ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા ધ્રાંગધ્રા ખાતે આવેલી સબજેલમાંથી હથોડી અને ટાંકણા મળી આવતા વિવાદ સર્જાયો હતો.
જો કે આ હથોડી અને ટાંકણા જેલમાં કેવી રીતે આવ્યા તે અંગે પણ કેટલાય સવાલોની હારમાળા સર્જાઇ હતી. હાલ આ ઘટનાને પગલે સ્થાનિક વ્યવસ્થાતંત્ર દ્વારા કોઇપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી.