સુરેન્દ્રનગર: જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોના માથે લાખોનું નુકસાન આવ્યું છે. જિલ્લો મુખ્યત્વે ખેતી પર આધારિત છે અને ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ભારે મહેનત અને મોંઘાદાટ બિયારણો તથા ખાતર વાપર્યા બાદ કરેલા કપાસના પાક સહિતના પાક નિષ્ફળ ગયા છે.
જેના પગલે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ હજારો હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યુ હતું પણ હવે પાક પર પાણી ફરી વળ્યુ છે. વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ ગયા છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પણ પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને હાલ માત્ર વરસાદ પર જ નિર્ભર રાખવાનો વારો આવ્યો છે. જગતના તાતની માગણી છે કે પાક નિષ્ફળ જતા સરકાર યોગ્ય વળતર ચૂકવે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં ચોમાસાનો માહોલ જામી પડ્યો છે પરંતુ ન-પાણિયા પંથકની ઓળખ પામેલ સુરેન્દ્રનગર જિલ્લામાં હજી સુધી પુરતા પ્રમાણમાં વરસાદ નહીં પડતા સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું છે. આકરી મહેનત તેમજ મોંઘાદાટ બિયારણો અને ખાતરનો ઉપયોગ કર્યા છતાં કપાસ સહિતના પાકોનું વાવેતર વરસાદ નહીં પડવાથી નિષ્ફળ જતાં લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
આપને જણાવી દઇએ કે વરસાદની રાહમાં જિલ્લાભરના ખેડૂતોએ હજારો હેકટર જમીનમાં કપાસનું વાવેતર તો કરી નાખ્યું પરંતુ વરસાદ ખેંચાતા પાણી વગર વાવેતર નિષ્ફ્ળ જઈ રહ્યું છે. બીજી તરફ રાજ્યની સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પણ પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોને હાલ માત્ર વરસાદ પર જ નિર્ભર રહેવાનો વારો આવ્યો છે.