સુરદ્રનગરમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતોએ કુંવરજી બાવળિયાનો ઘેરાવ કર્યો હતો.
સમગ્ર ઘટના વેશે જણાવીયે તો વઢવાણ તાલુકાના ગામોના ખેડૂતોએ બાવળિયાનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતોએ નર્મદા કેનાલમાં પાણી છોડવા માટે રજૂઆત કરી હતી.
પુરવઠા મંત્રી સમક્ષ ખેડૂતોએ મુખ્યમંત્રીનો પણ વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી હતી 3 દિવસમાં પાણી નહીં છોડવામાં આવે તો મુખ્યમંત્રીનો વિરોધ કરવાની ખેડૂતોએ ચિમકી આપી છે.
ખેડૂતોએ કુંવરજી બાવળિયાનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતમાં 15 ઓગસ્ટના કાર્યક્રમ દરમિયાન વિરોધ કરવાની સનસનાટી ભરી ચીમકી પણ આપી છે.