ભાજપના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાની પોસ્ટને લઇ વિવાદ સર્જાયો, પૂર્વ નાણામંત્રીના નિધન પર ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શ્રદ્વાંજલિ આપવાના બદલે અભિનંદન પાઠવ્યા હતા
સુરેન્દ્રનગરના સાસંદ ફરી આવ્યા વિવાદમાં
ડૉ.મહેન્દ્ર મુંજપરાની પોસ્ટને લઇ વિવાદ
પૂર્વ નાણામંત્રીના નિધન પર ફેસબુકમાં કરી હતી પોસ્ટ
સુરેન્દ્રનગરના સાસંદ ફરી વિવાદમાં આવ્યા છે. સુરેન્દ્રનગરથી ભાજપના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાની પોસ્ટને લઇ વિવાદ સર્જાયો છે. પૂર્વ નાણામંત્રીના નિધન પર ડૉ.મહેન્દ્ર મુંજપરાએ ફેસબુકમાં કોમેન્ટ કરી હતી. મુંજપરાએ શ્રદ્વાંજલિ આપવાના બદલે અભિનંદન પાઠવ્યા છે. દુઃખ વ્યક્ત કરવાને બદલે અભિનંદન લખી દીધું હતું. મુંજપરાની પોસ્ટને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે બાદ લોકોએ પણ આ ભૂલને દર્શાવી હતી. જો કે, વિરોધ બાદ મુંજપરાએ પોતાની દિલગીરી વ્યક્ત કરી હતી.