સુરેન્દ્રનગરમાં ચુડાના મોરવાડ ગામે બે બાળકી ડૂબી હોવાની ઘટના બની. ભોગાવો નદીમાં ડૂબી જતાં બે બાળકીઓના મોત થયા. ઉલ્લેખનીય છે કે, નદીમાં નહાવા સમયે ઘટના બની. બંને બાળકીઓના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી જોવા મળી. બંને બાળકીઓના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.