સુરેન્દ્રનગરમાં ચુડાના મોરવાડ ગામે બે બાળકી ડૂબી હોવાની ઘટના બની. ભોગાવો નદીમાં ડૂબી જતાં બે બાળકીઓના મોત થયા. ઉલ્લેખનીય છે કે, નદીમાં નહાવા સમયે ઘટના બની. બંને બાળકીઓના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી જોવા મળી. બંને બાળકીઓના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોરવાડમાં ભોગાવા નદી નજીક આ બંન્ને બાળકીઓ રમતી હતી ત્યારે પાણીમાં ડૂબવા લાગી હતી. જો કે, ઘટના સ્થળ પર કોઇ હાજર નહીં હોવાને કારણે બંન્ને બાળકીઓનું પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યા હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી.
આપને જણાવી દઇએ કે, 2 બાળકી ડૂબી જવાની ઘટના અંગેના સમાચાર આસપાસના વિસ્તારમાં પ્રસરતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠાં થયા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંને બાળકીઓના મૃતદેહને બહાર કાઢ્યા હતા અને નજીકના સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવેલ.
મૃતક બાળકીઓ છ વર્ષની તુલસી અને સાત વર્ષની નિરાલી નામની બંને બહેનો ધોરણ પહેલા અને બીજામાં અભ્યાસ કરતી હતી. બંન્નેનું ડૂબી જવાથી મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હોય તેવા હાલ થયા છે.