સુરેન્દ્રનગરનાં નાના ટિંબલામાં સ્કૂલે જતાં એક બાળકને 2 આંખલાઓએ ખૂંદી નાખતાં તેનું કરૂણમોત થયું છે. રખડતાં ઢોરનાં વધી રહેલા ત્રાસને લીધે ગામનાં લોકોમાં ભારે આક્રોશની લાગણી પ્રવર્તિ રહી છે.
સુરેન્દ્રનગરમાં રખડતા પશુનો ત્રાસ યથાવત્
આખલાનાં યુદ્ધમાં બાળક અડફેટે આવતા મૃત્યુ
સ્કૂલે જતાં બાળકનું થયું કરૂણ મોત
સુરેન્દ્રનગરમાં રખડતાં પશુઓનો ત્રાસ વધી ગયો છે જેનો ભોગ હવે બાળકો બની રહ્યાં છે. સ્કૂલે જતાં નાના ભૂલકાંઓ હવે આ ઢોરની હળફેટે આવીને મોતને ભેટી રહ્યાં છે. સુરેન્દ્રનગરનાં નાના ટિંબલામાં ધોરણ 1નાં બાળકનું મોતનું કારણ રખડતાં ઢોર બન્યાં છે. સ્થાનિકો જિલ્લાનાં વહીવટી તંત્ર તરફ આક્રોશ અને શોકની લાગણી દર્શાવી રહ્યાં છે અને તાત્કાલિક આ સમસ્યાનો ઉપાય શોધવાની માગ ઊઠાવી રહ્યાં છે.
સુરેન્દ્રનગરનાં નાના ટિંબલામાં બાળકનું મોત
સુરેન્દ્રનગરના નાના ટિંબલામાં બે આખલાઓની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. કમનસીબે આ આખલાંના યુદ્ધમાં એક બાળકી અડફેટે આવી ગઈ અને તેનું કરૂણ મોત નિપજ્યું. ઘાયલ થયેલી આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. આ બાળકીનાં મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું છે. જિલ્લામાં રખડતા આખલાઓનાં ત્રાસ વધ્યાંને લીધે પરિવારજનોમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે.
ધોરણ 1માં ભણતો હતો બાળક
લીંબડીનાં ટિંબલા ગામે 2 આંખલાઓ યુદ્ધ કરી રહ્યાં હતાં જેમાં ધોરણ 1માં અભ્યાસ કરતો વીરાજ મેટાળીયા ભોગ બન્યો. આ બાળક સ્કૂલે જઈ રહ્યો હતો અને યુદ્ધમાં લાગેલા આંખલાઓએ તેને ખુંદી નાખતાં વીરાજ ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયો હતો. કમનસીબે બાળકને હોસ્પિટલ પહોંચી સારવાર લેવાનો મોકો મળે તે પહેલાં જ તેનો જીવ મોતને ભેટી પડ્યો હતો. શોકમગ્ન બનેલા બાળકનાં પરિવારજનોએરખડતા પશુને પકડવાની માગ કરી છે.