ફેક્ટરીના કામદારો ધરણા પર બેઠા હતા. ધરણા પર બેઠેલા કામદારોએ ઝેરી દવા ગટગટાવી ગયા હતા. આ મામલાની જાણ ધારાસભ્ય, કલેકટર, એસ.પીને હતી તેમ છતાં કામદારોએ ઝેરી દવા ગટગટાવી અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે કોણ જવાબદાર? એવા પ્રયાસો થઈ રહ્યા છે. આ મામલે પરિવારજનોએ આક્રંદ મચાવ્યું છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 10 કામદારોના આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. 10 કામદારોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરતા તમામ કામદારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
SPને જાણ હોવા છતા તંત્ર નિષ્ફળ હોવાનું સામે આવ્યું
મળતી માહિતી મુજબ કેમિકલની ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ધરણા પર બેઠા હતા. ત્યારે આજે ધરણા પર બેસી રહેલા કામદારોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો. કામદારોના ધરણા મામલે ધારાસભ્ય, કલેક્ટર, SPને જાણ હોવા છતા તંત્ર નિષ્ફળ હોવાનું સામે આવ્યું છે.