સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. આજે તમામ લોકોની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે શનિવારે મોડી સાંજે ચોટીલા-સાયલા હાઇવેના મઘરીખડા નજીક અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં અકસ્માતના સ્થળે જ 6 લોકોના મોત નિપજ્યાં હતા. અકસ્માતથી હાઇ-વે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઇએ કે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં 3 બાળક સહિત કુલ 6નાં મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં મૃતકોમાં 3 બાળકો બે મહિલા 1 પુરુષનો સમાવેશ થાય છે.