સુરેન્દ્રનગર: રાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેના ભાગ અનુરૂપ સુરેન્દ્રનગરના દસાડા-વડગામ રોડ પર ત્રિપલ અકસ્માતની વધુ એક ઘટના સર્જાઈ છે. એસ.ટી બસ ટ્રેકટર અને કાર વચ્ચે આ દુર્ઘટના સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.
જેમાં 12 લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ અકસ્માતમાં જાનહાની ટળી હતી. પોલીસે હાલ રોડ અકસ્માત હેઠળ ગુનો દાખલ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આપને જણાવી દઇએ કે ચોટીલા હાઇવે પર તાજેતરમાં થયેલ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયાનાં સમાચારની શાહી હજી સુકાઇ નથી ત્યારે આજરોજ ફરીએકવાર સુરેન્દ્રનગરના દસાડા-વડગામ રોડ પર ત્રિપલ અકસ્માત બનતા ચકચાર મચી જવા પામી હતી.
ત્રિપલ અકસ્માતની આ ઘટનામાં એસ.ટી બસ ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. જો કે આ ઘટના અંગેની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક અસરથી બચાવકાર્ય હાથ ધર્યું હતું.