સુરેન્દ્રનગર: ચોટીલા ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં ભાજપના સુધરાઇ સભ્યોને માર્ગદર્શન આપવા માટે અને પક્ષની વિચારધારા જે છે તે ઉપર લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ આગામી ચૂંટણી માટે કાર્યકર્તાને તૈયાર રહેવા માટે કહેવામાં આવેલ.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu_vaghani ની અધ્યક્ષતામાં ચોટીલા ખાતે કચ્છ મોરબી અને બોટાદ જિલ્લાની નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. pic.twitter.com/ob1ABcN58V
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે યોજાયેલ આ પ્રશિક્ષણ વર્ગમાં સરકારની યોજનાનો લોકોને લાભ મળે અને તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્ગમાં સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ મોરબી કચ્છ જિલ્લાના નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.
જયારે સભ્યોને માર્ગદર્શન આપવા માટે પ્રદેશમાંથી ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘાણી ભીખુભાઈ દલસાણીયા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ આઈ.કે.જાડેજા ભાજપના રાષ્ટ્રિય મંત્રી વી.સતીષ હાજર રહ્યા હતા.
અને આ મહાનુભાવોએ ભાજપના સભ્યોને વિસ્તૃત માહિતી આપી હતી. સભ્યો પણ પોતાના વિસ્તારમાં જઈ ને લોકો સુધી માહિતી પહોંચાડે અને લોકોની સાથે રહે તેવુ સુચન પણ કરવામાં આવ્યું હતું.