૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે
સહારા દરવાજા બ્રિજનું મુકાશે ખુલ્લો
19 જૂને સી.આર. પાટીલ કરશે લોકાર્પણ
સુરતનો સૌથી ઊંચો બ્રિજ ખુલ્લો મુકાશે
સુરતમાં નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું 19 જૂને લોકાર્પણ કરવામાં આવશે. વિગતો મુજબ ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મંત્રી વિનુ મોરડિયાના હસ્તે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે.
ડાયમંડ સિટી સુરતમાં હવે એક નવા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું આગામી 19 જૂને લોકાર્પણ થવાનું છે. આ ફલાયઓવર માન દરવાજાથી સહારા દરવાજા જંક્શનને જોડશે. આ સાથે રેલવે સ્ટેશનથી સહારા દરવાજાને જોડતો ફલાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.
સુરતનો સૌથી ઊંચો બ્રિજ
નવનિર્મિત સહારા દરવાજા બ્રિજ સુરતનો સૌથી ઊંચો બ્રિજ હોવાનું મનાય છે. ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતા આ બ્રિજને 19 જુનના સી.આર.પાટીલ, મંત્રી વીનુ મોરડિયાના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકશે. આ સાથે રિંગ રોડ ફ્લાયઓવર પણ ફરી શરૂ થશે.