સુરતમાં એક માતાએ બાળકની હત્યા નિપજાવી પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
સુરતમાં ઘરકંકાસમાં પરિવારનો માળો વિખેરાયો
કતારગામમાં માતાએ પુત્રની હત્યા કરી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
ઘર કંકાસથી કંટાળી જઇ મહિલાએ મોત વ્હાલું કર્યું
સતત વધી રહેલા અપરાધ અને ગુનાહિત પ્રવૃત્તિના કારણે ડાયમંડ સીટી સુરતની ચમકમાં ઘટાડો થઇ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે સુરતમાં વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક માતાએ પોતાના પાંચ વર્ષના પુત્રની હત્યા કરી નાખ્યા બાદ પોતે આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. આ અંગે જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. જેમાં ઘર કંકાસથી કંટાળી જઇ મહિલાએ મોત વ્હાલું કરી લીધાનું સામે આવ્યું છે.
આવેશમાં આવેલી પત્નીએ આપઘાત કર્યો
જાણવા મળતી વિગત અનુસાર સુરતના વેડ રોડ વિસ્તરામાં અને રત્નકલાકાર તરીકે કામ કરી ગુજરાન ચલાવતા રાકેશ ઝાંઝમેરાએ 11 વર્ષ પહેલા યોગીતા સાથે લગ્ન કર્યા હતા. જે લગ્ન જીવન દરમિયાન બે સંતાનો હતા. ત્યારબાદ લાંબા સમયથી પતિ-પત્નીને વચ્ચે કોઈને કોઈ કારણસર ઘરકંકાસ થતો હતો. આથી કંકાસથી કંટાળી ગયેલી અને આવેશમાં આવેલી પત્નીએ પોતાના પાંચ વર્ષના પુત્ર દેવાંગને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યાંરબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી
આ અંગે પરિવારને જાણ તથા તેઓએ તાત્કાલિક ચોક બજાર પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. આથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પુત્ર અને માતાનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સુરત સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોલીસે માતા પર દીકરાની હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ ઘર કંકાસમા વહુ અને પૌત્રને ગુમાવનાર પરિવાર શોકમાં ગરકાવ થયો છે.