સુરતના વરાછા વિસ્તારમાં આવેલ રામજી મંદિર વિવાદોમાં આવ્યું છે. કારણકે મંદિરના ટ્રસ્ટી દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે મંદિર પરિસરમાં દારૂનો અડ્ડો ચાલે છે.
સુરતમાં આવેલ 350 વર્ષ જુનું રામજી મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ મંદિર સાથે ઘણા લોકોની આસ્થા જોડાયેલી છે. પરંતુ હવે આ મંદિર વિવાદોમાં આવ્યું છે. વિવાદોમાં આવવા પાછળનું કારણ છે કે મંદિરના ટ્રસ્ટી દ્વારાજ ગંભીર આક્ષેપો લગાવામાં આવ્યા છે. જેના 350 વર્ષ જુનું મંદિર વિવાદોમાં આવ્યું છે.
અસામાજિક તત્વોનો આતંક
મંદિરના ટ્રસ્ટી દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. કે રામજી મંદિર પર અસમાજિક તત્વોએ પોતાનો કબ્જો જમાવ્યો છે. જેમા ટ્રસ્ટીએ રાજમણી પાંડે અને તેના પુત્ર રવિ પાંડેએ કબ્જો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
મંદિરના પરિસરમાંજ દારૂનો અડ્ડો
વાત માત્ર આટલેથી નથી પૂરી થતી કારણકે મંદિરના ટ્રસ્ટી દ્વારા એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે પિતા-પુત્ર બંને જણાએ મંદિરના પરિસરમાંજ દારૂનો અડ્ડો શરૂ કર્યો છે. ટ્રસ્ટીના આ આક્ષેપને કારણે મંદિરનો વિવાદ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
મંદિરના મહારાજ અને પૂજારીને ધમકી
વધુંમાં ટ્રસ્ટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બંને પિતા પુત્રો દ્વારા મંદિરના મહારાજને તેમજ મંદિરના પૂજારીને ધમકી આપવામાં આવી છે. સાથેજ ટ્સ્ટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે મિલકત પચાવી પાડવા માટે બંને પિતા પુત્રએ કબ્જો કર્યો છે.
350 વર્ષ જુનુ મંદિર
ઉલ્લેખનીય છે કે રામજી મંદિર સુરતના વરાછા વિસ્તારના એ. કે રોડ પર આવેલું છે આ મંદિર 350 વર્ષ જૂનુ મંદિર છે. જેથી લાખો શ્રદ્ધાળુંઓની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. હાલ તો ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબની કાર્યવાહી કરવા માટે પોલીસમાં અરજી આપવામાં આવી છે.