સુરત શહેરમાં આવેલા ઓલપાડમાં કાંઠા વિસ્તારોમાં ગેરકાયદે ઝિંગા તળાવો બનાવામાં આવ્યાં છે. જેને લઇને ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટમાં ફરિયાદના આધારે કલેકટર દ્વારા તળાવો દૂર કરવા હુકમ કરાયો છે.
સુરતના ઓલપાડમાં મંદરોઇ, મોર, ભગવા, કુંડિયારા, ઓરમાં, કપાસી, લવાછા સહિતના ગામે ગેરકાયદે ઝિંગા તળાવો બનાવામાં આવેલા છે.
ઉલ્લેખનીય છે કે સુરતના ઓલપાડના આ ગામોમાં સરકારી જગ્યાઓમાં દબાણ કરી ગેરકાયદે તળાવો બનાવા મામલે ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
સુરત જિલ્લા કલેકટરની ગેરકાયદે ઝીંગા તળાવો વિરુદ્ધ કરવામાં આવેલી રહેલી કડક કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ફરી ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકામાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવોને જમીનદોસ્ત કરવાની કાર્યાવાહીની શરુઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગા તળાવો વધતા જોવા મળ્યાં હતા. ત્યારે ઓલપાડ વિસ્તારમાં કલેકટર દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરત જિલ્લાના ઓલપાડમાં આજે વહેલી સવારથી મંદરોઇ ગામમાં આવેલા ગેરકાયદેસરના ઝીંગાના તળાવોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસના બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા ગેરકાયદે ઝીંગાના તળાવોના પાળા તોડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સુરત જિલ્લામાં ઓલપાડના મંદરોઇ, મોર, ભગવા, કુંડિયારા, ઓરમાં, કપાસી, લવાછા સહિતના ગામે ગેરકાયદે ઝિંગા તળાવો બનાવામાં આવેલા છે. હાલમાં જ ડીઆઈએલઆર વિભાગ દ્વારા ઓલપાડના 13 અને ચોર્યાસીના નવ ગામોની માપણી કરી રિર્પોટ કલેક્ટરને સુપરત કર્યો હતો. જેના આધારે ઓલપાડના મંદરોઈ ગામેથી ગેરકાયદે ઝીંગા તળાવોની ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે.
આ દરમિયાન જે લોકો પોતાના ગેરકાયદેસર ઝીંગા તળાવોનું સ્વૈચ્છિક ડિમોલિશન કરશે તે સિવાયના તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવોના માલિકો પાસેથી ડિમોલિશન પેટેનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે.