સુરતના કામરેજમાં યોગગુરૂ પ્રદિપે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવાપીને પ્રદિપે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા પ્રદિપે 7 પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી. આ સ્યૂસાઈડ નોટમાં પ્રદિપે 10 સાધકોના નામનો ઉલ્લેખ કર્યો છે.
#Surat માં યોગગુરૂ પ્રદિપે આત્મહત્યાનો કર્યો પ્રયાસ ઝેરી દવા પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ
સાધકો પર પઠાણી ઉઘરાણીનો કર્યો ઉલ્લેખ સાધકો દાનમાં આપેલી રકમ પરત માગતા હોવાનો દાવો યોગગુરૂ પ્રદિપે સુસાઇડ નોટ લખી સાત પાનાની લખી છે સુસાઇડ નોટ
સત્યમ ફાઉન્ડેશન યોગધામ ચલાવે છે યોગગુરૂ pic.twitter.com/Ikao6BaavZ
સાધકો પર પઠાણી ઉઘરાણીનો આક્ષેપ કર્યો છે. સાધકો દાનમાં આપેલી રકમ માગતા હોવાનો પણ દાવો કર્યો છે. મહત્વનું છે કે સત્યમ ફાઉન્ડેશન દ્વારા યોગધામ ચલાવવામાં આવે છે. આ પહેલા પણ પ્રદિપનો મામલો બહાર આવ્યો હતો. ત્યારે હવે પ્રદિપે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પ્રદિપ સારવાર હેઠળ છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના કામરેજ ધોરણ પરડીમાં એક આશ્રમ આવેલો છે. જે સત્યમ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. જ્યાં યોગગુરૂ પ્રદિપજી લોકોને યોગ શીખવાડે છે. તેમણે કપાસમાં છાંટવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે.