સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા PSI જોશીના આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર જોવા મળી હતી. પોતાની જ સર્વિસ રિવોલ્વરલથી મહિલા PSIએ ગોળી મારી આપઘાત કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ કેસમાં પતિ તેમજ સાસરિયાની ધરપકડ કરી દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
સુરતમાં PSI અમિતા જોષી આત્મહત્યા કેસ
પોલીસે પતિ તેમજ સાસરિયાઓની ધરપકડ કરી
પતિ અને સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો
સુરત મહિલા PSI અમિતા જોશીના આપઘાત મામલે છેલ્લા ઘણા દિવસોથી પોલીસે તપાસ તેજ કરી હોવાનું સામે આવી રહ્યું હતું. જેમાં પોલીસ દ્વારા PSI અમિતાના કોલ ડિટેલ્સ-રેકોર્ડિંગ કબ્જે કરવામાં આવ્યાં હતા. આ સાથે પોલીસ મહિલા PSIના પિયર પક્ષના નિવેદન લેવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર PSI અમિતા જોષી આત્મહત્યા મામલે પોલીસે પતિ સહિત સાસરિયાઓની ધરપકડ કરી છે. પતિ અને સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો.
મહિલા PSI અમિતા જોષીના આત્મહત્યા કેસમાં મિલકત માટે સાસરિયાઓ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ મહિલા PSIના પતિના પણ અનૈતિક સંબંધો હોવાની ચર્ચા સામે આવી હતી.
મહિલા PSI અમિતા જોષીને સાસરિયાઓ મકાન પતિ વૈભવના નામે કરવા વારંવાર દબાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. સાસરિયાઓ મૃતક મહિલા PSI અમિતા જોષી પાસેથી પગારનો વારંવાર હિસાબ માગતા રહેતા હતા.
જો કે બીજી તરફ પોલીસ દ્વારા મૃતક મહિલા PSIના પતિના અનૈતિક સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અનૈતિક સંબંધ હતા તે મહિલાની પણ પૂછપરછ કરવામાં આી છે. પોલીસે ઘટનાને લઇને પુરાવા એકત્ર કરવાનું શરુ કર્યું છે.
સુરતના મહિલા PSI જોશીના આપઘાતની પાછળ સાસરિયા દ્વારા કરવામાં આવતું દબાણ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. જો કે આ સાથે મહિલા PSIના પરિવારે તટસ્થ તપાસની માંગ કરી છે.
મહિલા PSI જોશીને પતિ-સાસરિયા તરફથી નોકરી છોડવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હતું. જેમાં પતિ અને સાસરિયા તરફથી કહેવામાં આવતું હતું કે જો તારે તારા પુત્રને મળવું હોય તો નોકરી છોડી દે.
સૂત્રોના મળેલી માહિતી મુજબ મહિલા PSI જોશીએ આપઘાત કરતાં પહેલા તેમના નણંદ સાથે છેલ્લી વાત કરી હોવાનો ખુલાસો થયો હતો. જો કે તેમા સામે આવેલી વિગત મુજબ PSI જોશીએ નણંદને કહ્યું હતું કે મૃત્યું પછી રુપિયા આવે તો પુત્રના નામે FD કરવી તે અંગે વાતચીત થઇ હોવું બહાર આવ્યું હતું.
સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતા મહિલા PSIએ પોતાના જ ઘરમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. મહિલા PSI અનિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વોરમાંથી પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. અનિતા જોશી સુરતના ઉધનાના પટેલ નગર પોલીસ ચોકીમાં ઇન્વે. ચાર્જમાં મહિલા PSI તરીકેની ફરજ બજાવતા હતા.
ઘરે પોતાને ગોળી મારી આપઘાત કર્યો હતો
અનિતા જોશી તે દિવસે પોલીસ સ્ટેશન ફરજ પર ગયા ન હતા અને ઘરે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
જો પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું હતું કે PSI અનિતા જોશી પરણિત છે અને તેને એક બાળક પણ છે. તેવામાં PSL દ્વારા આ પ્રકારે આપઘાત કરી લેવાતા સમગ્ર પોલીસ બેડામાં શોકની કાલિમા સાથે ચકચાર મચી જવા પામી હતી.