સુરતની મહિલાએ કરી પતિ વિરૂદ્ધ ત્રાસ આપવાની ફરિયાદ કરી છે. પતિના અસહ્યત્રાસથી છુટકારો મેળવવા માટે છેલ્લા કેટલાક સમયથી મહિલા લડી રહી છે પરંતુ હજુ ન્યાય નથી મળ્યો.
સુરતની મહિલાએ કરી પતિ વિરૂદ્ધ ત્રાસ આપવાની ફરિયાદ
મહિલા બીજા લગ્ન બાદ પતિ પાસે માંગી રહી છે છુટાછેડા
પતિના અસહ્ય ત્રાસથી મહિલા ઈચ્છી રહી છે છુટકારો
આવતીકાલે છે 8 માર્ચ એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે. આવતીકાલે આખો દિવસ નારી સન્માનને નામ જોવા મળશે, અનેક કાર્યક્રમો નારી શક્તિને ઉજાગર કરતા પણ યોજાશે, ઘણુ બધુ લખાશે, વંચાશે ગવાશે અને કહેવાશે નારી સન્માન માટે. પરંતુ શું મહિલાઓની કેવી છે સ્થિતિ? અમદાવાદમાં થોડા દિવસ અગાઉ જ અત્યાચારના કારણે આયશાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું છે. દરરોજ મહિલાઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તેવામાં હવે સુરતમાં વધુ એક મહિલાએ પતિ વિરૂદ્ધ ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે.
સુરતની મહિલાના બીજા લગ્ન બાદ પતિ પાસે છુટાછેડા માંગી રહી છે. પતિના અસહ્ય ત્રાસથી મહિલા છુટકારો ઈચ્છી રહી છે. તો સામે પક્ષે પતિ છુટાછેડા આપવા માટે ઈનકાર કરી રહ્યો છે. છુટાછેડાની વાતથી પતિ વધુ ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યો છે. આ મહિલાની પોલીસમાં અરજી છતાં પણ કોઈ કાર્યવાહી નહીં. અરજીને 1 મહિનો થવા છતાં કોઈ કાર્યવાહી નહીં. મહિલા પતિથી છુટકારા માટે ન્યાય ઈચ્છી રહીં છે. આ મહિલા તેના પહેલા પતિ સાથે ફરીથી સંસાર માટે તૈયાર છે. પહેલા પતિથી મહિલાને એક પુત્રી છે. આ પુત્રીના જીવન માટે મહિલા પહેલા પતિ સાથે રહેવા તૈયાર છે. આથી મહિલા દિને પીડિત મહિલાની ન્યાય માટે ગુહાર લગાવી છે.