સુરતમાં હીરા ઉદ્યોગકારો માટે સારા સમાચાર છે. મંદીમાં ચાલી રહેલા સુરતના ડાયમંડ ઉદ્યોગને ફાયદો થઈ શકે છે. કારણ કે હવે કેનેડા સાથે સુરતનો હીરા વેપાર શરૂ થઈ શકે છે.
મળતી માહિતી અનુસાર કેનેડાએ ડાયમંડ પોલિશ્ડ કરાવવા માટે વિદેશ મોકલવા પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. જેથી કેનેડાના ડાયમંડ પોલિશ્ડ કરવા માટે સુરત મોકલી શકે છે.
મહત્વનું છે કે વિશ્વમાં સુરતમાં સૌથી સસ્તામાં ડાયમંડ પોલિશ્ડ થાય છે. જેથી સુરતના ડાયમંડ માર્કેટ પર સકારાત્મક અસર થઈ શકે છે.