સુરતના વેવાઈ-વેવાણની લવસ્ટોરીએ રાજ્યભરમાં ચકચારી મચાવી છે. થોડા સમય પહેલા પરત આવી ગયેલા વેવાઈ-વેવાણ ગઈકાલે ફરીવાર ભાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે મળતી માહિતી મુજબ વેવાઈ-વેવાણ ભાગીને દૂર ન ગયા હોવાનું સામે આવ્યું છે. તેઓ હાલ સુરતમાં જ છે તેવા અહેવાલ પણ પ્રાપ્ત થયાં છે.
સુરતમાં વેવાઈ-વેવાણ ફરીથી ભાગી જવાનો મામલો
વરાછામાં જ મકાન ભાડે રાખ્યું હોવાનો થયો ખુલાસો
દીકરીના લગ્ન કરાવવા માટે આવ્યા હતા પાછા
પ્રાપ્ત થતી વિગત અનુસાર, વેવાઈ-વેવાણ ગઇકાલે ફરીવાર ભાગી ગયા બાદ તેમણે સુરતથી દૂર જવાનું ટાળ્યું છે અને હાલ બંન્ને વરાછા વિસ્તારમાં એક ઘર ભાડે રાખીને રહેવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ આ વખતે તેઓ ગાયબ થયા હોવાની કોઇ ફરિયાદ કે તેમને શોધવાના પ્રયાસ પણ થઇ રહ્યા નથી તેવી જાણકારી પણ સામે આવી છે.
દીકરીના લગ્ન કરાવવા માટે પરત આવ્યા હોવાનો થયો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, 13 ફેબ્રુઆરીએ તેમની દીકરીના લગ્ન યોજાયા હતા 15 દિવસ બાદ ફરી વેવાઈ અને વેવાણ સાથે ફરાર થયા છે. વેવાઈ અને વેવાણ પ્રથમવાર ફરાર થઈ ગયા બાદ વેવાઈને તેમના પરિવારે સ્વીકાર કરી લીધા હતા. જોકે વેવાણને તેમના પતિએ સ્વીકાર્યા ન હતા. જેથી તે તેમના પિતાના ઘરે રહેતા હતા. આ કારણોસર વેવાઈ વ્યથિત હતા અને આમ ફરી એકવાર વેવાઈ અને વેવાણ ભાગી ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
શું છે વેવાણ-વેવાઈની લવસ્ટોરી
આ લવલ્ટોરી બહુ પુરાણી છે. સુરતક અને નવસારીના બે યુવક યુવતીના લગ્ન થવાના હતા પરંતુ દીકરીની માતા અને દીકરાના પિતા વચ્ચે બચપણમાં અધુરો રહી ગયેલો પહેલો પ્રેમના અરમાનો જાગી ઉઠ્યા હતા અને પોતાના સંતાનોના લગ્ન કરાવવાની જગ્યાએ આ વેવાઈ-વેવાણ એકબીજા સાથે ઉજ્જૈન ભાગી ગયા હતા.