સુરતમાં AAPના વિરોધપક્ષ નેતા સહિત 2 કોર્પોરેટર અને 3 કાર્યકર્તાઓની કરી ધરપકડ, મંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવ સમયે સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનો નોંધ્યો
સુરતમાં AAPના કોર્પોરેટની ધરપકડ
AAPના વિરોધપક્ષ નેતાની ધરપકડ
બે કોર્પોરેટર અને 3 કાર્યકર્તાઓની ધરપકડ
સુરતમાં AAPના કોર્પોરેટની ધરપકડ કરવામાં આવી છે. AAPના વિરોધપક્ષ નેતા સહિત 2 કોર્પોરેટર અને 3 કાર્યકર્તાઓની ધરપકડ વરાછા પોલીસે કરી છે. આ તમામ AAPના નેતાઓએ મંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવ કર્યો હતો. પોલીસે સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનો નોંધ્યો છે. ધરપકડ થતા ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ અને સી.આર પાટીલ સાથે હર્ષ સંઘવી પર આક્ષેપો કર્યા હતા.
ગુજરાત આપ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કર્યા આક્ષેપ
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, અમારા કોર્પોરેટર્સ પોતાના વોર્ડમાં આઈસોલેશન વોર્ડ ખોલીને કામગીરી કરી રહ્યા છે. લોકોની મુશ્કેલીમાં અમારા કોર્પોરેટર્સ મદદરૂપ થઈ રહ્યા છે. આમ છતાં પોલીસ વિપક્ષના નેતા અને કાર્યકરોની ધરપકડ કરી રહી છે. સાથે ગોપાલ ઈટાલિયાએ સી.આર પાટીલ અને હર્ષ સંઘવી પર પણ આક્ષેપો કર્યા હતા. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, કોરોના મહામારીમાં અમે કોઈપણ પ્રકારની રાજનીતિ કરતા નથી. અને અમે લોકો માટે વ્યવસ્થા ઉભી કરી રહ્યા છીએ. આમ છતાં આ બંને નેતાઓને વાંધા થાય છે.