હવે એક સુંદર પહેલ સામે આવી છે. જ્યારે પણ સામાજિક પરિવર્તનની શરૂઆત કરવી હોય તો તે બાળકોથી કરવામાં આવે છે. જેથી તેની દુરોગામી અસરો અને ફાયદા જોવા મળે. આવા જ કાંઈક હેતુથી સુરતની બે શાળાઓએ ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓના અભ્યાસ ક્રમમાં સાયકલનો સામાવેશ કર્યો છે. સાયકને અભ્યાસ ક્રમ બનાવી ભણાવવાની શરૂઆત કરી છે. જાણો શા માટે આ ફાયદા કારક...
સાયક્લોલોજીથી ભાવીસુધી
અભ્યાસક્રમમાં હવે સાયકલ પણ સામેલ
સુરતની બે શાળાઓ દ્વારા શરૂઆત
આજે આવી જ ઉડાન તરફ સુરતની બે શાળાઓએ શરૂઆત કરી છે. જ્યારે દુનિયા ગ્લોબલ વોર્મિંગ સામે લડી રહી છે. ત્યારે તેનાથી આવનાર પેઢીને બચાવવા માટે સુરતની બે શાળાઓએ સાયકલને મહત્વ આપ્યું છે. સાયકલને અભ્યાસક્રમ બનાવ્યો છે અને પાયલટ પ્રોજેક્ટ પર અભ્યાસ ક્રમની શરૂઆત પણ કરી છે. આ શરૂઆત એટલા માટે કે, આવનાર પેઢી ગ્લોબલ વોર્મિંગને સમજે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે વાત સમજે.
સામાન્ય રીતે આપણા બાળકો સાયકલ તો રોજ ચલાવતા હોય છે પરંતુ સોસાયટીની અંદર અને તે પણ માત્ર પોતાના મોજ-શોખ માટે. પરંતુ અભ્યાસક્રમમાં બાળકોને સાયકલનો ઈતિહાસ, સાયકલ ચલાવવાથી થતા ફાયદા, જો સાયકલ ન ચલાવીએ તો શું થાય? સાયકલની જાળવણી કેવી રીતે કરવી, રસ્તા પર નિકળીએ તો ટ્રાફિકના નિયમોનું કેવી રીતે પાલન કરવું, ટ્રાફિકના નિયમો માટે વિવિધ પ્રકારના સંકેતો, આકારો અને રંગોમાં ભેદભાવ સહિત અનેક પાસાઓનો ઉમેરો કરાયો છે. એટલે આ અભ્યાસક્રમ બાળકોના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આવનાર વર્ષોમાં પ્રકૃતિના જનત માટે પણ ફાયદાકારક છે. સાથે-સાથે બાળકોના જ્ઞાનમાં વધારો કરનાર પણ છે.
સુરત નેચર ક્લબ અને ઈન્ટરનેશનલ બાયસીકલ ગ્રૃપે આ પ્રોજેક્ટને સહયોગ આપ્યો છે. જોકે આ બે શાળાઓની શરૂઆત છે. પરંતુ સરકારે ખુદ સામે ચાલી આ પહેલમાં જોડાવું જોઈએ. દરેક શાળામાં આ અભ્યાસક્રમને લાગુ કરવો જોઈએ. જેથી બાળક પ્રકૃતિને સમજી શકશે. પ્રકૃતિને નુકસાન પહોંચાડનારા સાધનોને સમજી શકે અને સાયકલની સાથે-સાથે ખુદને પણ તંદુરસ્ત રાખી શકે.