સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. લાંબી મુસાફરી કરી વતન જતા લોકો હવે ચાર કલાકમાં સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર કાપી શકશે
સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે સારા સમાચાર
ઘોઘાથી હજીરા વચ્ચે રોપેક્ષ સેવા 8 નવે.થી થશે શરૂ
સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર ચાર કલાકમાં કાપી શકાશે
સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. લાંબી મુસાફરી કરી વતન જતા લોકો હવે ચાર કલાકમાં સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર કાપી શકશે. ભાવનગરના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે રોપેક્ષ સેવા 8 નવે.થી શરુ થઇ રહી છે. હજીરા-ઘોઘા રો-રો ફેરી સેવા શરુ થતા પરિવાહનના સમયમાં ઘટાડો થશે.
મળતી માહિતી મુજબ ડિસેમ્બરના અંત સુધીમાં હજીરા-ઘોઘા રો રો ફેરી સેવા શરુ થશે આ પ્રોજેક્ટમાં સુરત ખાતે હિરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ઘણા સૌરાષ્ટ્રના વેપારીઓને ફાયદો થશે ઘોઘા-હજીરા વચ્ચેની રોપેક્ષ સેવાને લઇને પેસેન્જર, વાહનોના દર કંપનીએ નક્કી કરી દીધા છે. રોપેક્ષ સેવાથી ઘોઘાથી હજીરા 4 કલાકમાં પહોંચી જવાશે. જેને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ vtv સાથે ખાસ વાતચીત કરી છે રો રો ફેરી અને પેટા ચૂંટણી અંગે શું કહી રહ્યા ચર આવો જાણીએ