સુરતનું રેલવે સ્ટેશન સ્વચ્છતા મામલે સૌથી પહેલા નંબરે આવ્યું છે. દેશમાં 611થી વધુ રેલવે સ્ટેશનનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સુરતને નંબર વન મળ્યો છે. હિરાનગરી સુરત હવે સ્વચ્છ રેલવે સ્ટેશન મામલે પણ પ્રથમ.
સ્વચ્છ ભારત, સ્વચ્છ રેલવે અંતર્ગત કરાયો હતો સર્વે
દેશના 21 મોટા રેલવે સ્ટેશનમાં સુરત મોખરે
સુરત બાદ જયપુર અને જોધપુરનો નંબર
રેલેવ મંત્રાલયે સ્વચ્છ રેલવે સ્વસ્છ ભારત અભિયાન હેઠળ સર્વે કરાયો હતો જેમાં સુરતનું નામ આવ્યુ છે. સૌથી વધુ આવક મામલે સુરત નંબર વન છે. 500 કરોડથી વધુની આવક હોય તેવા રેલવે સ્ટેશનનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સુરતનો નંબર આવ્યો છે. આવા 21 રેલવે સ્ટેશન ભારતમાં છે. મુસાફરોની સંખ્યા અને આવકના હિસાબથી સુરતને આ રેટીંગ મળ્યુ છે.
દેશમાં સ્વચ્છ રેલવે સ્ટેશનનો સર્વેક્ષણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નોન સબર્બન ગ્રુપમાં સુરત શહેર પ્રથમ સ્થાને રહ્યુ છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયેલે સ્વચ્છતા સર્વેક્ષણના પરીણામો જાહેર કર્યા હતા જેમાં દેશના સ્વચ્છ રેલવે સ્ટેશનમાં સુરતના રેલવે સ્ટેશનનો સમાવેશ થતા, શહેરીજનોમાં ખુશીની લહેર ફરી વળી છે.
સુરત બાદ જયપુર અને જોધપુરનો નંબર
હીરાનગરી તરીકે ઓળખાતું સુરત હવે સ્વચ્છતામાં પણ આગવી ઓળખ ઉભી કરી રહ્યુ છે. સુરત બાદ બીજા સ્થાને જયપુર રેલવે સ્ટેશન છે, જ્યારે ત્રીજુ સ્થાન જોધપુર રેલવે સ્ટેશનને આપવામાં આવ્યું છે.