સુરતના વરાછા વિસ્તારમાં તસ્કરોનો મહાઆતંક ફેલાયો છે. વરાછા વિસ્તારમાં આવેલી 3 દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આકાશ લેબોરેટરીમાં રૂ. 57 હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. સમગ્ર ચોરીની ઘટના તીસરી આંખમાં કેદ થઈ છે.
ઉલ્લેખનીય છે કે જ્યાં CCTVમાં તમે સ્પષ્ટ જોઈ શકાય છે કે એક પછી એક આ તસ્કરો દુકાનને નિશાન બનાવે છે. ચોરી કરીને થેલામાં સામાન ભરીને ફરાર થઈ જાય છે. જોકે ચોરીના બનાવના પગલે દુકાન માલિકે ફરિયાદ નોંધાવી છે.
એકસાથે ત્રણ દુકાનના તાળા તૂટતા વેપારીઓએ પોલીસ સામે ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો. જ્યાં વેપારીએ કહ્યું કે આ વિસ્તારમાં લુખ્ખા તત્વો ખુલ્લેઆમ ફરે છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આટલો મોટો વિસ્તાર છે તો પણ નાઈટ પેટ્રોલિંગ થતું નથી. દુકાનના તાળા તૂટતા વરાછાના વેપારીઓએ નાઈટ પેટ્રોલિંગની માગ કરી હતી.
આપને જણાવી દઇએ કે એક તરફ સરકાર અને પોલીસ સબ સલામત હોવાના દાવા કરી રહી છે ત્યારે મેગાસીટીના કેટલાક સ્થળો પર મોડી રાતે ચોરીના બનાવો બની રહ્યા છે. આ બનાવોને તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે તેવી લોકમાંગ સ્થાનિક લોકો દ્વારા ઉઠવા પામી છે. આ સાથે મોડી જ રાતે પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટના સ્ટાફમાં વધારો કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામેલ.