મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હીરા ઉદ્યોગને આગળ લાવવા ઉઝબેકિસ્તાનના જ્વેલરી મેન્યુફેકચર્સો સાથે બેઠક કરી હતી. જેને લઇને એવું લાગ્યું હતું કે સુરત હિરા ઉદ્યોગ માટે સારા દિવસો આવશે. તેમ છતાં દેશમાં જ્યાં અનેક ઉદ્યોગ મંદીની ચપેટમાં જોવા મળી રહ્યાં છે ત્યારે હવે રાજ્યના હીરા ઉદ્યોગ પર પણ મંદી અસર જોવા મળી રહી છે. દિવાળી વેકશેન બાદ શરૂ થયેલા હીરા ઉદ્યાગમાં હાલમાં મંદી જોવા મળી રહી છે. સુરત શહેરના 90 ટકા જેલા કારખાનેદારો પાસે કામ નથી.
સુરતમાં દિવાળી વેકશન બાદ પણ હીરા ઉદ્યોગમાં મંદી
90 ટકા જેટલા કારખાનદારો પાસે નથી કામ
રત્નકલાકારોને સાચવવા વેપારીઓના પૂરતા પ્રયાસ
સુરતમાં દિવાળી વેકશન બાદ પણ હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. સુરતમાં 90 ટકા જેટલા કારખાનેદારો પાસે કામ જ નથી. રત્નકલાકારોને સાચવવા વેપારીઓ પૂરતા પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ રફનો સ્ટોક ઓછો આવતા કામકાજ ઠંડુ પડ્યુ છે.
રફ ડાયમંડની ઊંચી કિંમતોને કારણે ખરીદી ઓછી થઇ છે. વૈશ્વિક માંગ ઓછી હોવાના કારણે હવે પેલિશ્ડ હીરાની લે-વેચ પણ ઘટી છે. જેને લઇ કારખાનેદારોની હાલત કફોડી બની છે. ત્યારે રફ ડાયમંડની કિંમત અને વૈશ્વિક લે-વેચ શરૂ થશે તો જ વ્યાપાર સુધરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન ખાતે જ્વેલરી મેન્યુફેકચર્સોએ સાથે બેઠક કરી હતી. જેમાં B2B મિટિંગ કરીને જવેલરી માટે હીરાની માગ કરાઇ હતી. જેમાં સુરતના ઉદ્યોગકારોને 3 મહિનાની ઉધારીમાં હીરા પુરા પાડશે. જેના કારણે સીએમની મુલાકાત બાદ એવુ જણાવામાં આવ્યું હતું કે હવે સુરત હીરા ઉદ્યોગને એક નવુ બજાર મળશે.