સુરતમાં બિલ્ડર સાથે કૌભાંડ મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનુ નામ સામે આવ્યુ છે. આ મામલે CID ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી છે. જોકે હજી સુધી CID ક્રાઈમના અધિકારીઓએ કોટડિયાની ધરપકડ કરી નથી.
નલિન કોટડિયાની ધરપકડમાં ઢિલાશ કરવામા આવતા ઘણા સવાલો ઉભા થયા છે. શુ આ કૌભાંડને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? શુ આ કૌભાંડમાં કોટડિયા સિવાય અન્ય કોઈ નેતાઓની પણ સંડોવણી છે? શું આ મામલે અન્ય નેતાઓના નામ ખુલે તેના માટે કોટડિયાની ધરપકડ કરવામાં આવતી નથી?
આવા અઢળક સવાલો વચ્ચે મહત્વનુ છે કે કોટડિયાએ CID ક્રાઈમને પત્ર લખીને કહ્યુ હતુ કે તેઓ પોતાના કામથી બહાર છે અને કોટડિયાએ 12 મે સુધી CID ક્રાઈમ સમક્ષ હાજર થવાનો સમય પણ માંગ્યો હતો.
આ ઉપરાંત આ મામલે CBI અધિકારી સુનિલ નાયરની પણ CID ક્રાઈમ દ્વારા પુછપરછ કરવામાં આવી નથી. આ ઉપરાંત દહેગામના કેશવ ફાર્મના માલિકની પણ પુછપરછ કરવામાં આવી નથી. કોટડિયાની ધરપકડ ન કરવામા આવતા આવા ઘણા સવાલો ઉભા થયા છે.