મહામારીએ હવે હદ વટાવી છે. કોરોનાને કારણે લોકોના ધંધા વ્યવસાય ઠપ્પ થઈ ગયા છે. આવકના તમામ સાધનો જાણે બંધ થઈ ગયા છે અને મંદ થઈ ગયા છે.
સુરતમાં નાણાંની તંગીને કારણે ટેમ્પો ડ્રાઇવરે કર્યો આપઘાત
ઉછીના આપેલ નાણાં પરત ન આવતા નાણાં અછત સર્જાઇ
મૃતકે અન્ય મિત્ર પાસેથી પણ નાણાં ઉછીના લીધા હતા
સુરતના ડીંડોલી વિસ્તારમાં પાંચ મહિના પહેલા ટેમ્પો ચાલકે કરેલા આપઘાત કેસમાં બે સામે ગુનો દાખલ કરાયો છે, બે મિત્રો ને ઉછીના આપેલા 1.50 લાખ પરત નહીં આપતા લોકડાઉન માં પરિવાર ચલાવવામાં મુશ્કેલી થતા ટેમ્પોચાલકે આત્મહત્યા કરી હતી
ટેમ્પો નો ધંધો ઠપ થઈ જતા મૃતકે ઉછીના રૂપિયાની ઉઘરાણી શરૂ
ડીંડોલી નવાગામ વિસ્તારમાં રહેતા અને ટેમ્પોચાલક નું કામ કરતા રાજેન્દ્ર પાટીલે પોતાના પરિચિત એવા લક્ષ્મીચંદ ગીરાશે અને જીતુ મોરે ને 1.5 લાખ ઉછીના આપ્યા હતા, લોકડાઉન દરમ્યાન ટેમ્પો નો ધંધો ઠપ થઈ જતા મૃતકે ઉછીના રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી પરંતુ બંને ઓરિચિતોએ માત્ર આશ્વાસન આપ્યું હતું એક તબક્કે ચેક આપ્યા હતા તે પણ રિટર્ન થતા રાજેન્દ્ર માનસિક તણાવમાં આવી ગયો હતો અને સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટના ના 5 મહિના બાદ આત્મહત્યાની દુષપ્રેરના નો ગુન્હો દાખલ કર્યો છે.