સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની ઘટના બાદ હવે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાએ તક્ષશિલા આર્કેડના ઉપરના માળને તોડવાની કામગીરી શરૂ કરી છે. આ બિલ્ડિંગમાં ઉપરના માળે ડોમ બનાવીને ટ્યૂશન ક્લાસીસ ચલાવામાં આવી રહ્યા હતા.
ત્યારે હવે ગેરકાયદે ઉભા કરાયેલા ડોમને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આ આગની ઘટનામાં 22 વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયા હતા. જ્યારે અનેક ઘાયલ પણ થયા હતા. ત્યારે આ ઘટનાને 52 દિવસ વિતી ગયા બાદ હવે મહાનગરપાલિકાએ તક્ષશિલા આર્કેડમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે.
તક્ષશિલા આર્કેડ અગ્રિકાંડ મામલે વાલીઓએ રેલી કાઢીને વિરોધ કર્યો હતો. વાલીઓ દ્વારા આ સમગ્ર ઘટનામાં માત્ર નાના અધિકારીઓ સામે જ કાર્યવાહી કરાયો આક્ષેપ મુકવામાં આવ્યો હતો. જો કે અત્યાર સુધીમાં આ સમગ્ર મામલે કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ક્રાઈમબ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.