સુરતના સરથાણામાં તક્ષશિલામાં લાગેલી આગ મામલે સતત ચોથા દિવસે મહાનગર પાલિકા દ્વારા ડિમોલીશન કામગીરી યથાવત છે. લાલદરવાજા વિસ્તારમાં લીલાબા સ્કૂલમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કન્યા વિદ્યાલયના ચોથા માળે છાપરાના શેડમાં ક્લાસ ચલાવવામાં આવતા હતા. જેમાં ડિમોલિશન કામગીરી હાથ ધરીને 5થી વધુ વર્ગ ખંડ તોડી પાડવામાં આવ્યા છે.
તમને જણાવી દઇએ કે, સુરતના તક્ષશિલા આર્કેટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ, સુરત અને રાજકોટમાં મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથધરાઈ હતી. ગઇકાલે સુરતમાં મનપાએ અડાજણમાં આઈ.એન. ટેકરવાળા સ્કૂલમાં કામગીરી હાથ ધરાઇ હતી. અગાશી ઉપર બનાવવામાં આવેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવ્યું છે. તો બીજી અમદાવાદના પૂર્વ ઝોનમાં AMCએ એસ્ટેટ વિભાગે ત્રણ સ્થળોએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
એસ્ટેટ વિભાગ દ્વારા ઉદગમ શાળામાં ડિમોલિશન હાથ ધરી અને બિનઅધિકૃત શેડ્સને દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટમાં પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. રાજકોટના રૈયાધાર પાસે મારવાડીવાસમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી.