સુરતમાં એક ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગ મામલે અમદાવાદ મહાનગર પાલિકા તંત્ર દોડતું થયું છે. ઠેર ઠેર ટ્યુશન કલાસીસ નોટીસ ટ્યુશન સચાલકો નોટીસ પાઠવી છે. ત્યારે ટ્યૂશન ક્લાસિસમાં સંચાલકોની હરકતમાં આવ્યા છે. આમ એક તરફ તંત્ર જાગ્યું છે, સામે કલાસીસના સંચાલકો બેઠક યોજાઈ જેમાં મહત્વના નિર્ણય કર્યો છે.
ત્યારે શું છે સમગ્ર મામલો...
સુરતમાં ટ્યુશન ક્લાસિસમાં બનેલી દર્દનાક ઘટનાને પગલે ૨૦ જેટલા વિધાર્થીઓ મોત થયા છે. જે પગલે સમગ્ર રાજ્યભરના ફાયર અને મહાનગર પાલિકા વિભાગ હરકતમાં આવી છે. ત્યારે સુરતમાં ટ્યુશન ક્લાસિસમાં આગ લાગતાં વિધાર્થીઓના મોત બાદ અમદાવાદમાં તમામ ક્લાસીસને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે કલાસીસ બધ કરવાનો આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ દ્વારા અચોક્કસ મુદત સુધી ક્લાસિસને બંધ રાખવાનો આદેશ કર્યો છે. તેમજ ફાયર સેફ્ટીની તપાસ આદેશ કરવામાં આવ્યા છે. અમદવાદના ઘણા ખરા કલાસિસને કલાસીસ બધ કરવાની નોટીસ પાઠવી છે.
જોકે કલાસીસ બંધ થવાની નોટીસ મળતા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના સંચાલકો દ્વારા પણ એક મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં અમદાવાદના સંચાલકો હાજર રહ્યા હતા. હાજર રહેલા સંચાલકોની મળેલી મિટિંગમાં તંત્ર દ્વારા તમામ ક્લાસીસનાં બધ કરવાનાં નિર્ણય સામે આગમી રણનીતિ નક્કી ઘડવામાં આવી હતી.
જે અંગે વાત કરતા એકેડેમિક એસોશિયન ઉપપ્રમુખ મનીષ રાવલ જણાવ્યું હતું કે, ફાયર સેફ્ટીની સુવિધા અમલીકરણ માટે સરકાર સમય માગણી કરવામાં આવી હતી. તેમાંથી હાલ શહેરના 70 ટકા ક્લાસીસમા ફાયર સેફ્ટી સુવિધાનો કરવામાં આવી છે. તેમ છતાં સરકારની તમામ સંચાલકોને એક લાકડીએ હકવની નીતિ રહી છે. જો સરકાર આગામી દિવસોમાં કોઈ સારો ઉકેલ ન આપે તો પિટિશન દાખલ દાખલ કરવાની મીટીંગ તૈયારી દર્શાવાઈ છે. જો કે આજે કાયદાકિય અભિપ્રાય મીટીંગ લેવામાં આવ્યો છે.
જો કે સુરત ઘટના બાદ તત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે અચોક્કસ મુદત સુધી ટ્યુશન કલાસીસ બધ કરવાનું ટ્યુશન કલાસીસોને સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે જે કલાસીસ ફાયર સેફટી હોવા છતાં નોટીસ મળતા તેઓ ફાયર અધિકારી નોમ્સ નહીં જણાવાની અને ફાયર પરમીશન નહી આપવાનું જણાવી રહ્યા છે. ત્યારે એક તરફ તત્ર દ્વારા કલાસીસ બંધ કરવાનું સુચન નોટિસ મળતા સંચાલકો કાયદાકીય લડત માટે તૈયારી દાખવી રહ્યા છે.