સુરત શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ભણતા 12 જેટલા વિદ્યાર્થીઓને પુણા વિસ્તારની સુમન શાળામાં એડમિશન લેવાનું હોય છે પરંતુ શાળા સંચાલકો દ્વારા મેરિટનું બહાનું કાઢીને તમામને એડમિશન નથી અપાયા તેને લઇ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળાઓ આવેલી છે પરંતુ તમામ શાળાઓ ધોરણ 8 સુધીની છે એટલે કે વિદ્યાર્થી ધોરણ 8 પાસ કર્યા બાદ જે તે શાળાની નજીકમાં નિયત કરવામાં આવેલી શાળામાં તેણે ધોરણ 9 નું એડમિશન લેવાનું હોય છે.
આવી જ રીતે પુણા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોએ સુમન શાળા ખાતે એડમિશન લેવાનું હોય છે. આ વખતે 12 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 8 પાસ કરી જ્યારે સુમન શાળામાં એડમિશન લેવા ગયા ત્યારે તેમને મેરિટનું બહાનુ બતાવી ગરીબ બાળકોને એડમિશન આપવાની ના પાડી દેવામાં આવી છે.
ત્યારે હાલ આ તમામ બાળકોનું ભાવિ અધરમાં લટકી ગયં છે આ સમગ્ર મામલો જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ન્યાય માંગવા પહોંચ્યા છે ત્યારે આવા ગરીબ બાળકોને એડમિશન નહીં મળે તો આવા ગરીબ બાળકો ક્યાં અભ્યાસ કરશે એ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.