સુરતમાં રખડતા શ્વાન તો ભરૂચમાં રખડતાં ઢોર અને કપિરાજના આંતકથી લોકોને પારાવાર મુશ્કેલી
સુરતમાં રખડતા શ્વાનનો આતંક
8થી 10 બાળકોને શ્વાને ભર્યા બચકા
ફરી એક વખત શ્વાનનો આતંક આવ્યો સામે
સુરતમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત જ છે તેની સાથે જ રખડતા શ્વાનના આતંકથી પણ શહેરીજનો ત્રાહિત થઈ ગયા છે. સુરતના માન દરવાજા વિસ્તારમાં 8થી 10 બાળકોને શ્વાને બચકા ભર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. બાળકો રમત રમત હતા ત્યારે શ્વાને બાળકો પર હુમલો કરી દીધો હતો અને એક બાદ કે 10 બાળકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરી દીધા હતા. જે બાદ ચીસ ચીસ થતાં બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. તો કેટલાક બાળકોને ખાનગી હોસ્પિટલ ખાતે પણ માતા પિતા અધ્ધર શ્વાસે લઈ ગયા હતા. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે. માન દરવાજા વિસ્તારમાં રહીશો શ્વાન આંતકથી કંટાળી યોગ્ય નિકાલ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.
આવિધામાં કપિરાજનો આંતક
તો આ તરફ ભરૂચના આવિધા ગામે કપિરાજનો ત્રાસ સામે આવ્યો છે. રોષે ભરાયેલા કપિરાજ આમ તેમ ઉછળકુદ કરી રાહદારીઓ અને વાહન ચાલકોને નિશાને બનાવી રહ્યા છે.હુમલો કરીને ત્રણથી વધુ લોકોને ઈજા પહોંચાડી છે જેઓને બાદમાં સારવાર અર્થે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતા. તે ઉપરાંત કારના બોનેટ પર બેસીને પણ ઘુરાકીયા કરતાં કપિરાજ જોવા મળ્યા હતા.
ભરૂચ મુખ્ય માર્ગો પર પશુઓનો અડિંગો
ભરૂચ શહેરમાં રખડતાં ઢોરથી પણ લોકો ત્રસ્ત થઈ ગયા છે. કલેકટર કચેરીના મુખ્ય માર્ગ પર રખડતા ઢોરોએ અડિંગો જમાવ્યો હોવાથી વાહન લઈને પસાર થનાર દરેકને હેરાનગતિ થઈ રહી છે. સતત આ મુદ્દે યોગ્ય નિકાલ લાવવાની રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવામાં ન આવતા પાલિકાની ઢોર પકડવાની કામગીરી સવાલ ઊભા થઈ રહ્યા છે.
હાલ તો જાહેર રસ્તા પર રખડતા પશુઓથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે ત્યારે રખડતા પશુઓથી લોકોને ક્યારે છુટકારો તે એક મોટો સવાલ છે.