સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરના નામનો ઉલ્લેખ કરી ન્યાયની માંગણી કરી, રૂપિયા માંગનાર લોકો ત્રાસ આપતા હોવાનું પણ ટાંક્યું
સુરતમાં વ્યાજખોરો બેફામ બન્યા
શેરબજારના દલાલે આત્મહત્યા કરી
7મા માળેથી કુદીને પ્રવિણ કુંભાણીએ આત્મહત્યા કરી
'સાહેબ હર્ષભાઈ સંઘવીને મારી અપીલ છે, હું તમારો એક સારો મિત્ર છું. મારા પરિવારનું ધ્યાન રાખજો. આ સાથે મારા મિત્ર દક્ષેશભાઈ માવાણીને વિનંતી છે કે, મારા પરિવારને ન્યાય અપાવજો'. આવી એક સ્યુસાઈડ નોટ લખીને સુરતમાં એક શેર અને જમીન દલાલે આપઘાત કર્યો છે . આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી છે . વધુમાં તેણે જણાવ્યું કો હું દેવામાં આવી ગયો છું મેં શેરબજાર અને લોકોને વ્યાજે પૈસા અપાવ્યા હતા. એ લોકો મને મારા પૈસા પરત આપી રહ્યા નથી. એ લોકોને મેં લાખો રૂપિયા આપ્યા છે. હવે મારી પાસે પૈસા નથી. આ લોકો મારી પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે. આ લોકોના દબાણથી ઉઘરાણી ચાલુ કરી છે, એટલે મેં આ પગલું ભર્યું છે. મેં વ્યાજે લીધેલા પૈસા શેરબજારમાં ભર્યા છે, આ લોકોને ભરવા માટે કઈ નથી. મારા પરિવારની સલામતી માટે આ પગલું ભર્યું છે. હું બધાના નામ લખું છું, આ બધાને લીધે હું આવું કરવા માટે મજબૂર થયો છું. આ લોકોએ મને બહું હેરાન કર્યો છે. આવી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે . ,ઘરના મોભીના અચાનક આપઘાતને કારણે પુરા પરિવારમાં શોકનો માહોલ છે.
શેર દલાલે આપઘાત કરી લીધો
સુરતના કતારગામ વિસ્તારમાં પ્રવીણ કુંભાણી નામના શેર દલાલે આપઘાત કરી લીધો હતો. સાતમાં માળેથી ઝંપલાવી તેણે જીવન ટૂકાવી લીધું હતું. તેના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બીજી તરફ તેણે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ સામે આવી છે. જેમાં તેણે કરોડો રૂપિયા લેવાના નીકળતા હોય પરત નહીં આપતા અને વ્યાજખોરો તેને ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોના કારણે દલાલે કરી આત્મહત્યા?
આ લોકોને સજા આપવા પોલીસ વિભાગને વિનંતી. નંદલાલભાઈ વરાછા. રાજકોટના રાજુભાઈ. બાપ. વરાછાના દિલીપભાઈ. ભાવનગરના તેજપાલ અજયભાઈ સારવાલા. બાબુભાઈ ગોધાણી. ચીકુભાઈ ગોધાણી. અને ચીકુભાઈની પત્નીને કારણે હું આત્મહત્યા કરૂં છું. ભાવનગરના તેજપાલભાઈએ મારા 15 લાખ પચાવી પાડ્યા છે, જ્યારે અજયભાઈ સારવાલાને મારૂં મકાન પચાવી પાડવું છે. આ તમામ લોકોએ મને ટોર્ચર કર્યું છે. હજુ પણ આ લોકો મારી પાસે રૂપિયા માંગી રહ્યા છે.
આપેલા કરોડો રૂપિયા લોકો પરત પણ ન આપતા હોવાનો ઉલ્લેખ
સ્યુસાઈડ નોટ ત્રણ ભાગમાં લખી છે. એક સ્યુસાઈડ નોટ ફેસબૂક પર અપલોડ કર્યો છે. તેની વાત કરીએ તો વધુમાં લખતા કહ્યું છે કે, મેં સ્યુસાઈડ કર્યું છે, તે આ લોકોની લીધે કરી રહ્યો છું, પોલીસ ખાતાને મારી વિનંતી છે. ખાસ સાહેબ હર્ષભાઈને વિનંતી છે કે, મારા પરિવારનો ન્યાય પૂરો અપાવશો. મારા પરિવારને કોઈ હેરાન કરવા જોઈએ નહાં. મારા મિત્રોને અપીલ છે કે, મારા પરિવારની જોડે ઉભા રહે. આ સ્યુસાઈડ નોટ હું ફેસબૂક પર ચડાવું છું. આ ઘટનાને લઈને સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ આ મામલે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે
કતારગામ પોલીસ કઈ વાતને લઈને અસમંજસમાં
હાલ પોલીસે કોઈ ખાસ કાર્યવાહી કરી નથી . પોલીસે ઘટના સ્થળેથી અમુક પુરાવા એકઠા કર્યા છે. અને પોલીસે તપાસ આદરી છે. પરંતુ પુરી ઘટનામાં હજુ નામ જોગ ફરિયાદ નોંધાઈ નથી. મૃતક સ્યુસાઈડ નોટ લખી છે. અમુક લોકોના નામ પણ આવ્યા છે. પરંતુ પોલીસે આ લોકો સામે 306 મુજબ ગુનો નોંધાયો નથી .પોલીસ થોભો અને વિચારો જેવી નિતીમાં માની રહી હોય તેવું લાગે છે .